હિન્દ ન્યુઝ, મેમનગરગામ (અમદાવાદ) નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ કે જ્યાં શાળામાં તાલીમ લેતા અને સંસ્થા સાથે જોડાયેલ મનો દિવ્યાંગ બાળકોના આર્ટ, ડાન્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સમાં રહેલા ટેલેન્ટને જાણીને તેને પર્ફોર્મન્સ માટે દેશ-વિદેશમાં લઈ જવામાં આવે છે. તાજેતરમાં એંજલિના નામની દીકરીને સ્પેશિયલ ઓલમ્પિકમાં વર્લ્ડ સમર ગેમમાં બર્લિન ખાતે સ્કેટિંગ રમતમાં ભાગ લેવા ગઈ હતી અને સિલ્વર મેડલ જીતી તેણે દેશનું નામ રોશન કર્યું હતું. આગામી તા. ૧ થી ૬ ઓગસ્ટ દરમિયાન સ્પેશિયલ ઓલમ્પિક કોરિયા દ્વારા યોજાનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી આવેલ…
Read MoreDay: July 28, 2023
વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વળતર વનીકરણ યોજના કેમ્પ હેઠળ થયેલ કામગીરીની મુખ્ય વન સંરક્ષક વડોદરાએ લીધી મુલાકાત
હિન્દ ન્યુઝ, મહિસાગર પર્યાવરણની સમતુલાની જાળવણી અને વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે ત્યારે મુખ્ય વન સંરક્ષક વડોદરા વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારના બોડા ડુંગરો પર વનીકરણની કામગીરી અંતર્ગત વળતર વનીકરણ યોજના કેમ્પા હેઠળ જિલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૫૦ હેકટર વિસ્તારમાં ૩x3x3 વાવેતર અંતરે વિવિધ પ્રકારના ભુમિ ભેજ સંરક્ષણના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમા ૫૫,૫૫૦ કણજ, ગરમાળો, કરમદા, સાગ, વાંસ અને બેડા જેવા રોપાઓનું વર્મી કમ્પોસ્ટ ખાતર સહિત જમીનના પોષક તત્વો સાથે વાવેતર કરવામાં આવ્યું છે.…
Read Moreમહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, મહિસાગર ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 5.50 લાખથી વધુ આવક મેળવતા. પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા અને આર્થિક સ્થિતી બંનેમાં સુધારો શક્ય છે જમીનની ફળદ્રુપતા સાથે સાથે મનુષ્ય સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે મહીસાગર જિલ્લાના રણજીતપુરા ગામના પ્રશાંતભાઈ પટેલ જણાવે છે કે . અમે બે વર્ષ પેહલા ડ્રેગન ફ્રૂટના રોપા રોપેલા અને ડ્રેગન ફ્રૂટનાં રોપણીનાં માટે 13 માં મહિનામાં ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે તૈયાર થઈ ગયા હતા. સાડા ચાર વીઘા જમીનમાં 1000 થાંભલામાં ચાર હજાર ડ્રેગન ફ્રૂટના રોપાનું વાવેતર કરવામાં આવ્યું. જેના થકી પેહલા વર્ષે મે…
Read Moreમહિસાગર કલેકટર ભાવિન પંડયા દ્રારા ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, મહિસાગર બાળકોમાં ડ્રગ્સ અને માદક ડ્રવ્યોનો ઉપયોગ રોકવા અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે “ એક યુધ્ધ નશે કે વિરૂધ્ધ’’ અને “નશામુક્ત ભારત ’’ નું લક્ષ્યાંક નકકી કરવામાં અવેલ છે.જે અનુસાર સંપૂર્ણ ભારતમાં બાળકોને ડ્રગ્સ અને માદક ડ્રવ્યોના સેવન/ઉપયોગથી દુર રાખવા નકકી કરવામાં આવેલ છે. શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપરથી SCHEDULE H અને X પ્રકારની વેચાણ કરતી ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા મહિસાગર કલેકટર ભાવિન પંડયા દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું મહિસાગર જિલ્લામાં આવેલ SCHEDULE H અને X પ્રકારની જથ્થાબંધ/છુટક દવાઓનું વેચાણ કરતી…
Read Moreસરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની થશે ભવ્યાતિભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, બોટાદ આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરએ તમામ વિભાગોને એકજૂટ થઈને સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થાય તે બાબતનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. બોટાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના રમતવીરો, શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓનું સન્માન કરવામાં આવશે. સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમની ઉજવણીના આગોતરા આયોજન માટે યોજવામાં આવેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, નિવાસી…
Read Moreભારત વર્ષમાં પાણી બચાવો અભિયાન અંતર્ગત “વરસાદ ને ઝીલો” કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ખારેલ તા.૨૭-૦૭૨૦૨૩ ના રોજ ખારેલ મુકામે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા સંપૂર્ણ ભારત વર્ષ માં પાણી ની બચાવો માટે “વરસાદ ને ઝીલો” ના કાર્યક્રમ કરે છે અને આ કાર્યક્રમ માં નેહરુ યુવા કેન્દ્ર- નવસારી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે યુવાઓ માટે જાગરૂકતા અભિયાન ચલાવે છે. આ હેઠળ નેહરુ યુવા કેન્દ્ર નવસારી એ અનિલ નાઈક ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ રૂપે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલ ,જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘા, અનિલ નાયક ફાઉન્ડેશનના કોર્ડીનેટર શ્રીમતી…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જસદણ થી હજારોની સંખ્યામાં કાર્યકરો રાજકોટ પહોંચ્યા
હિન્દ ન્યુઝ, જસદણ ભારતના યશસ્વી અને ખૂબજ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ સૌરાષ્ટ્રને એક અદભુત ભેટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના તેમજ ફ્લાય ઓવરબ્રીજ સહિતના લોકાર્પણ માટે રાજકોટ પધારી રહેલ હોય ત્યારે હરખ સાથે મોદી ને વધાવવા માટે જસદણ શહેર ભાજપની ટીમ દ્વારા કાર્યકરો સાથે રાજકોટ રવાના થયેલ. જેમાં વોર્ડ નંબર ત્રણના પંકજભાઈ ચાંવની અધ્યક્ષતામાં સાચી કાર્યકરો અમરશીભાઈ, રાધેશ્યામભાઈ, જે.બી.પરમાર, ડી.કે.પરમાર, જયદીપભાઇ રાઠોડ, મુકેશભાઈ, જયરાજભાઇ સહિત અનેક આગેવાનો સાથે મોદી ને આવકારવા રાજકોટ ખાતે રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreઆણંદ DSP એ આંકલાવના બે પોલીસ જવાનને સસ્પેન્ડ કર્યા
હિન્દ ન્યુઝ, આણંદ છેતરપિંડીના કેસમાં જપ્ત કરેલા વાહનોનો બારોબાર વહીવટ કર્યો હતો આંકલાવ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ગોહિલ સસ્પેન્ડ કરાયા આણંદ પોલીસ વડા પ્રવીણકુમારના આદેશની અવગણના કરતા સજા મળી આંકલાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જવાનોને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતાં બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ બન્ને જવાને છેતરપિંડીના કેસમાં જપ્ત કરેલા વાહનો પોલીસ મથકમાં જમા કરાવવાના બદલે તેનો બારોબાર વહીવટ કર્યો હતો. આણંદના ચિખોદરા ગામમાં થોડાંક સમય પહેલાં રોમીલ પટેલ તેમજ અન્ય બે ઈસમો મળીને 60 થી વધુ લોકોની ફોર વ્હીલર ગાડીઓ…
Read Moreઆણંદના બે વિધર્મી યુવકે સગીરાની સેલ્ફી લીધી અને બ્લેકમેઇલ કરી
હિન્દ ન્યુઝ, આણંદ પીવીઆર ટોકીઝમાં ફિલ્મ જોવાના બહાને લઇ જઇ બળજબરી અશ્લીલ જાતીય અત્યાચાર કર્યો આ યુવક સગીરાને આણંદની ટોકીઝમાં ફિલ્મ જોવા લઈ ગયો અને તે દરમ્યાન બળજબરી જાતીય અત્યાચાર કર્યો આણંદના બે મુસ્લીમ યુવકે સોશ્યલ મિડિયા પર સગીર વિદ્યાર્થિની સાથે દોસ્તી કરી તેની સાથે ફોટા પડાવ્યાં બાદ બ્લેકમેઇલીંગ શરૂ કરી દીધું હતું. આ યુવકોએ સગીરાને પીવીઆર ટોકીઝમાં લઇ જઇ બળજબરી પૂર્વક મુખમૈથુન કરાવ્યું હતું. આ ઘટનાથી ભાંગી પડેલી સગીરાએ ઘરમાં સઘળી બાબતની જાણ કરતાં તેઓ ચોંકી ગયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આણંદમાં…
Read More