કાલાવડ નગરપાલિકાની ઘોર બેદરકારી

ફાયર ટેન્કર દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ને ખુશ કરવા રોડ ધોવડાવ્યા !!!! હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા હર હંમેશ વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે ત્યાં આજરોજ વધુ એક અતિ ભયાનક કિસ્સો સામે આવવા પામ્યો છે. કાલાવડ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા ફાયર ટેન્કરનો દુરુઉપીયોગ કરી એક નાના પુલના ઉદ્ઘાટન માટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઉદ્ઘાટન કરવા આવવાના હોય અને આ મંત્રીને ખુશ કરવા માટે નગરપાલિકા કર્મીઓ દ્વારા લોકોના જીવ ની પરવા કર્યા વગર ફાયર ટેન્કર ને રસ્તાઓ ધોવા માટે ઉપયોગ કરતાં કાલાવડના લોકોમાં ભારે રોષ ફેલાવવા પામ્યો હતો કાલાવડ નગરપાલિકાની…

Read More

પાણી નુ છે મહત્વ ઘણું , જીતી ગઈ એ ઇન્સાન જાયે આ જાણુ

હિન્દ ન્યુઝ, ભાવનગર પાણી-જીવન સંગિની ! કદમ કદમ પર આવે છે એ કામ, પાની ના હોઈ, તો થાઈ ના ખાતર કોઈ કામ પીવો દિવસ મા ઘણુ બધુ પાણી , તેથી રહેસે તંદુરસ્ત તારી જવાની ! વાહ વાહ! ઉપર ના આ શબ્દ છે ઘણા જ મહત્વ ના… જો આ સમજી ગયા, તો જીતી ગયા. આપણી જિંદગી મા, પાણી ઘણુ જ ઝરૂરી છે -પર આપણે ઘણા સમય, એહને ઉપેક્ષા કરી છે. જમવા કર્તા પર પાણી ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે. પર શું કામ ? – આપણા શરીર ને હાઇડ્રેટ રાખવા માટે,…

Read More

ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અભૂતપૂર્વ આર.ટી.આઈ સંમેલન 2022માં યોજાઈ રહ્યું છે

હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અભૂતપૂર્વ આર.ટી.આઈ સંમેલન 2022માં યોજાઈ રહ્યું છે ત્યારે આ સંમેલનના સંસ્થાપક દિપકભાઈ પટેલ, કાર્ય સહભાગી ગણપતભાઇ, હરેશભાઈ ગુજ્જર, ઘનશ્યામભાઈ બારોટ, મહેશભાઈ, બ્રિજેશભાઈ ઉપસ્થિત હતા. ખાસ કરીને વાત કરીએ તો આ કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે જેમાં દરેક જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો આવવાના છે. હાલમાં 700 જેટલા કાર્યકર્તાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે સંસ્થાપક દિપકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓ માટે માહિતી અધિકાર લોકશાહી નો ધબકાર જણાય છે. જેમાં 21 રૂપિયા ની અરજી કરવાથી સરકારી કચેરીઓમાં ફાઇલોમાં કેદ લોકોના ઉપયોગી દસ્તાવેજો મળી શકે છે…

Read More

શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગૃત વાલી સંમેલન

હિન્દ ન્યુઝ, ભાવનગર   શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગૃત વાલી સંમેલન તા.23 એપ્રિલ નાં રોજ યોજવામાં આવેલ. જેમાં ભાવનગરનાં જાણીતા શિક્ષક વર્ષાબહેન જાની દ્વારા વાલીઓને ‘બાળ ઘડતર, પોષક આહાર તથા વ્યસન મુક્તિ’ પર માહિતગાર કરવામાં આવેલ તથા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. આ પ્રસંગે 100 થી વધું વાલીઓ તથા બાળકોની પ્રેરક ઉપસ્થિતિમાં બાલમંદિરનાં બાળકોને સાવચેતી થી ઘરે થી બાલમંદિર લઇને આવતાં પ્રકાશભાઈ, યુનુસભાઈ તથા મનીષભાઈનું સોલાપુરી ચાદર ભેટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન અંકિતાબહેન ભટ્ટ તથા પ્રીતિબહેન ભટ્ટએ કર્યું હતું.

Read More

શિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગેની કૃષિ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર કૃષિક્ષેત્રે શોધાયેલા વિવિધ સંશોધનોની જાણકારી સાથે સરકારની યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાં અંગે શિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગેની એક કૃષિ શિબિર યોજાઇ હતી. આ કૃષિ શિબિરમાં શાકભાજી સાથે ખેતીવાડીના વિવિધ પાક, તેની માવજત, બિયારણ પસંદગી સંદર્ભે અધિકારીઓ, નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. શિબિરના અધ્યક્ષ સ્થાનેથી ભાવનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક વાઘમશીએ ભાવનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તમામ કૃષિ પાકો માટે અવકાશ હોવાનું જણાવી વધુ ઉત્પાદન અને વધુ ઉત્પાદકતા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. તેઓએ પ્રકૃતિ સાથેની…

Read More

સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે ત્યારે વરસાદ રૂપે વરસતાં ટીપે-ટીપે પાણીનો સદુપયોગ કરી શકાય તેવાં હેતુ સાથે સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અવસર પર દરેક વિસ્તારમાં ૭૫ તળાવો બનાવવામાં આવે કે તેને ઊંડા ઉતારવામાં આવે તેવી કરેલી હાકલને પગલે જળસંગ્રહ માટેના આ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. પ્રભુ પ્રસાદીરૂપે વરસેલા પાણીને ગામમાં જ સંગ્રહિત કરી શકાય…

Read More

રાધનપુર રખડતા ઢોર આખલાઓ નો આતંક હજુ યથાવત, નગર પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

રાધનપુર શહેર માં ઘણા સમય થી લઇ ને રખડતા ઢોરો નો ત્રાસ જોવા મળી રહ્યો છે અને હજુ હમણાં જ આખલા ના આતંક થી એક યુવાને જીવ પણ ખોયો છે છતાંય હજુ રાધનપુર શહેર માં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જે આપેલ દૃશ્યો માં જોઈ શકાય છે. રાધનપુર શહેર માં દિવસે ને દિવસે રખડતા ઢોરો અને આખલાઓ નો આતંક હચમચાવી રહ્યો છે શહેરીજનો ત્રાસ પોકારી ગયા છે ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે અને ક્યારે નિર્દોષ લોકો ને ન્યાય મળશે જે જોવું રહ્યું. રખડતા ઢોર તેમજ ખાસ કરી…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ૯.૩૬ કરોડના ૩૪૯થી વધુ વિકાસના કામો મંજૂર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સમગ્ર જિલ્લામાં ૯.૩૬ કરોડના ખર્ચે ૩૪૯થી વધુ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે       ઇણાજ ખાતેના જીલ્લા સેવા સદનની મળેલી આ બેઠકમાં મંત્રી રૈયાણીએ વિકાસના કામોની ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરવા અને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે, જન અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે નૈતિકતા અને જવાબદારી સાથે કામ કરવા અનિવાર્ય છે. પ્રજાલક્ષી કામોમાં બેદરકારી ન ચલાવી શકાય તેવી ટકોર કરતા મંત્રીએ વિકાસના…

Read More