શિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગેની કૃષિ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

કૃષિક્ષેત્રે શોધાયેલા વિવિધ સંશોધનોની જાણકારી સાથે સરકારની યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાં અંગે શિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગેની એક કૃષિ શિબિર યોજાઇ હતી.

આ કૃષિ શિબિરમાં શાકભાજી સાથે ખેતીવાડીના વિવિધ પાક, તેની માવજત, બિયારણ પસંદગી સંદર્ભે અધિકારીઓ, નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી.

શિબિરના અધ્યક્ષ સ્થાનેથી ભાવનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક વાઘમશીએ ભાવનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તમામ કૃષિ પાકો માટે અવકાશ હોવાનું જણાવી વધુ ઉત્પાદન અને વધુ ઉત્પાદકતા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

તેઓએ પ્રકૃતિ સાથેની ખેતી જ આપણને બચાવશે તેમ ભારપૂર્વક જણાવી બાગાયત પાકો માટેની રાજ્ય સરકારની વિવિધ સહાયક યોજનાઓની વિગતો આપી તેનો લાભ લેવાં ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરાના વૈજ્ઞાનિક વિનીત સવાણીએ સરગવાની ખેતી, ટપક સિંચાઈ વગેરેની વિગતો આપી હતી. એક જ જગ્યા પર એનાં એ જ પાકના વાવેતરથી જમીનના પોષક તત્વો શોષાઈ જતાં હોય છે. આથી સમયાંતરે પાકની ફેર બદલી કરવી જોઈએ.

શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા જય પેઢીના અભેશંગભાઈ પરમાર તથા હમીરભાઈ વાઘેલાના આયોજન સાથેની આ માર્ગદર્શન શિબિરમાં ભાવનગર જિલ્લાના જુદા- જુદા ગામોના ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોએ શાકભાજી પાક ઉત્પાદન સાથે વેચાણ સંબંધી જાણકારી મેળવી હતી.

ભાવનગર જિલ્લાના બાગાયત અધિકારી હાર્દિકભાઈ પરમારે બાગાયત યોજનાઓ અંગે, નન્હેંમ્સ પેઢીના શાકભાજીના સુધારેલ બિયારણો સંદર્ભે કપિલ ચૌબેએ, અન્ય ઉદ્યોગોના નફા સાથે ખેતી વ્યવસાયને લઈ જવા બાબત મહેશભાઈ જોષીએ અને અશ્વપાલભાઈ રાઠોડે પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિગતો સાથે વિગતો આપી હતી.

શિબિરમાં ખેડૂતો સાથે કૃષિસંવાદ પ્રશ્નોત્તરીનું સત્ર રાખવામાં આવ્યું હતું.જેનો ખેડૂતોએ ભરપૂર લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ પંડિતે કહ્યું હતું.

આ કૃષિ શિબિરમાં કૃષ્ણપરા અને સિહોર તાલુકા તથા તેની આસપાસના ગામના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો રિપોર્ટ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment