રાધનપુર શહેર માં ઘણા સમય થી લઇ ને રખડતા ઢોરો નો ત્રાસ જોવા મળી રહ્યો છે અને હજુ હમણાં જ આખલા ના આતંક થી એક યુવાને જીવ પણ ખોયો છે છતાંય હજુ રાધનપુર શહેર માં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જે આપેલ દૃશ્યો માં જોઈ શકાય છે. રાધનપુર શહેર માં દિવસે ને દિવસે રખડતા ઢોરો અને આખલાઓ નો આતંક હચમચાવી રહ્યો છે શહેરીજનો ત્રાસ પોકારી ગયા છે ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે અને ક્યારે નિર્દોષ લોકો ને ન્યાય મળશે જે જોવું રહ્યું. રખડતા ઢોર તેમજ ખાસ કરી…
Read MoreMonth: April 2022
ગીર સોમનાથ જિલ્લામાં ૯.૩૬ કરોડના ૩૪૯થી વધુ વિકાસના કામો મંજૂર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સમગ્ર જિલ્લામાં ૯.૩૬ કરોડના ખર્ચે ૩૪૯થી વધુ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે ઇણાજ ખાતેના જીલ્લા સેવા સદનની મળેલી આ બેઠકમાં મંત્રી રૈયાણીએ વિકાસના કામોની ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરવા અને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે, જન અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે નૈતિકતા અને જવાબદારી સાથે કામ કરવા અનિવાર્ય છે. પ્રજાલક્ષી કામોમાં બેદરકારી ન ચલાવી શકાય તેવી ટકોર કરતા મંત્રીએ વિકાસના…
Read Moreગોંડલ બાલાશ્રમ ની દિકરીઓએ પવિત્ર રમજાન માસમા નાના નાના ભુલકાઓને આપી રંગબેરંગી ખુરશીઓ ની ભેટ
હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ બાલાશ્રમ માં કોઈ દાતા તરફથી નાના બાળકોને ઉપયોગી થાય તેવી બાળકો માટેની રંગબેરંગી પ્લાસ્ટિક ની ખુરશીઓની ભેટ આપેલ હતી. ગોંડલ બાલાશ્રમ મા હાલ નાના બાળકો છે નહીં. ગોંડલ બાલાશ્રમ મા રહેતી દીકરીઓને વિચાર આવ્યો કે આ બાળકો માટેની ખુરશીઓ જો યોગ્ય જગ્યાએ આપવામાં આવે તો તેનો સદ્દઉપયોગ થઈ શકે. આ ઉમદા વિચાર ને બાલાશ્રમ ના સંચાલકો એ વધાવી લીધો અને ગોંડલ ના સમાજસેવી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ને આ બાબતે સહયોગ કરવાનું કહેતા, હિતેશભાઈ દવે એ યોગ્ય તપાસ કરી ગોંડલ ની ઘોઘાવદર રોડ પર આવેલ આંગણવાડી માં…
Read Moreદિયોદર તાલુકાના ડૂચકવાડા ગામના વતની હાલમાં રહે ડીસા પુસ્તક એ જીવન નો સાચો મિત્ર છે
હિન્દ ન્યુઝ, દિયોદર ૨૩ એપ્રીલ એટલે “વિશ્વ પુસ્તક દિવસ” આજે ૨૧ પુસ્તક ખરીદી ને વિશ્વ પુસ્તક દિવસ ને મનાવવામાં આવ્યો. નાનપણ થી પુસ્તકો જોડે મિત્રતા થયેલી. દિયોદર તાલુકા ના ડુચકવાડા જેવા નાનકડા છેવાડા ના ગામમાં પંડીત પરિવાર મા મારો જન્મ થયેલો. ઘરે જુનાજમાનો મોટો પટારો ભરીને પુસ્તકો હતા. પુજ્ય ગૌરીશંકર દાદા પ્રખર પંડીત હોવાથી પુસ્તક નુ વાચન બચપન થી વારસા મા મળેલુ. પિતા વ્યવસાયે શિક્ષક હતા આથી પુસ્તકો ના વાંચન ને વધુ અનુમોદન મળ્યુ. ૧૯૮૦ ના સમય મા ગામ મા લાઇટ, રોડ ની વ્યવસ્થા ન હતી. લાઇટ ના હોવાના કારણે…
Read Moreબોટાદ જિલ્લાના બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ તારીખ ૨૨ એપ્રિલ -૨૦૨૨નાં રોજ “આયુષ્માન ભારત” બ્લોક હેલ્થ મેળો યોજાયો હતો. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા દ્વારા સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો તેમજ ખાસ કરીને સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PM-JAY કાર્ડ કઢાવી આપના પરિવારને રૂ. ૫.૦૦.૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા.) સુધીની સરકારી તથા માન્ય ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય અને ગંભીર રોગોની સારવાર માટેની કાર્ડ દ્વારા મળતી કેશલેસ સુવિધાનો લાભ લેવા જણાવ્યું…
Read MorePM KISAN યોજનાના લાભાર્થીઓને KCC (કિસાન ક્રેડિટકાર્ડ) દ્વારા લાભ આપવામાં આવશે
હિન્દ ન્યુઝ, બોટાદ PM KISAN ના જે લાભાર્થીઓએ લોન માટેની KCCની યોજના નો લાભ લીધેલ ના હોય તેના માટે છે આ માટે સ્પેશિયલ ગ્રામ સભા ૨૪.૦૪.૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દરેક ગામમાં યોજવામાં આવશે જેને માનનીય વડાપ્રધાન સંબોધિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, KCCની આ લોન નો લાભ ખાતા દીઠ મળશે. આ યોજના નો લાભ મત્સ્ય ઉધ્યોગ અને પશુપાલન ના વ્યવસાય સાર્થે જોડાયેલા લોકોને પણ મળવા પાત્ર છે. પાક ધિરાણ 3 લાખ સુધીની લોન માટે વ્યાજ દર 7 % રહેશે, જો આ લોન ની ભરપાઈ 365…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર પ૪ કિલોમીટર ૬ લેન થયેલા માર્ગ નું લોકાર્પણ કર્યુ
હિન્દ ન્યુઝ, બોટાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટીવિટી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, સહિતની કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે તેણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ પ૪ કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું. રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ બગોદરા-તારાપૂર-વાસદ ના સમગ્ર માર્ગને ૬ લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય…
Read Moreરાજ્ય સરકારના પેન્શનરો માટે ભાવનગર ખાતે પેન્શન અદાલતનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા પાંચ ઝોન ખાતે તા.૦૪/૦૬/૨૦રરનાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાક થી સાંજનાં ૫:૦૦ કલાક સુધી પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત ભાવનગરમાં જુના કોર્ટ હોલ, સરદાર વલ્લભભાઇ પટેલ કેમ્પસ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. પેન્શનરો જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતાં હોય તે જિલ્લા તિજોરી પેન્શન ચુકવણાં કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઇટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં…
Read Moreસુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ ના અધ્યક્ષતામા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત લોકો રહ્યા ઉપસ્થિત પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહ ની બંદગી રોઝા રાખી ને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે તેમજ મુસ્લીમ સમાજ ની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ ના અધ્યક્ષતામા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત લોકો રહ્યા ઉપસ્થિત પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહ ની બંદગી રોઝા રાખી ને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે તેમજ મુસ્લીમ સમાજ ની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા
હિન્દ ન્યુઝ, ધ્રાગધા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ ના અધ્યક્ષતામા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત લોકો ઉપસ્થિત રહ્યા પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહ ની બંદગી રોઝા રાખી ને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે તેમજ મુસ્લીમ સમાજ ની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા
Read Moreકચ્છના પશુધનને બચાવવા બન્ની વિસ્તારનાં માલધારી -પશુપાલકોને ઘાસચારો પુરો પાડવા બાબતે અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે તાકીદે બેઠક બોલાવી
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના લખપત, નખત્રાણા અને ભુજ તાલુકના બન્ની વિસ્તારમાં અપુરતા અને કમોસમી વરસાદના કારણે માલધારી પશુપાલકોનુ સ્થળાંતર અટકે અને તેમના પશુધનને ઘાસચારા પાણીની વ્યવસ્થા તાકીદે મળી રહે તે માટે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે મહેસુલ અને આપત્તિ વ્ય્વસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને તેમના અધિકારીઓ સાથે રાજ્ય અને જિલ્લાના સંવર્ગના અધિકારીઓની સાથે તાકીદની બેઠક યોજી હતી. અધ્યક્ષએ તાકીદે અછત રાહત કમિશનર પાસેથી પરિસ્થિતિનો વિગતવાર અહેવાલ જાણ્યો હતો. મહેસુલ મંત્રીને અનુરોધ કરતા અધ્યક્ષ ડો. નીમાબેને ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઉપલબ્ધ ઘાસચારાના ભાવમાં…
Read More