હિન્દ ન્યુઝ, અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે. આ ભીંત ચિત્ર ભારતના હસ્ત-કારીગરો દ્વારા નિર્મિત 2,975 માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. અમિતભાઈ શાહે આ અનાવરણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, દુનિયાના સૌથી મોટા બ્રિટિશ…
Read MoreDay: January 31, 2022
નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તેઠ ઉમરસાડી ખાતે રૂા.૨૪.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારી ફલોટિંગ જેટીનું ભૂમિપૂજન કરાયું
હિન્દ ન્યુઝ, વલસાડ વિકાસના દરેક કામો ઝડપથી પૂર્ણ થાય તેવા રાજ્યમ સરકારના પ્રયાસો છે- નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે પાઇલોટ પ્રોજેકટ તરીકે દક્ષિણ ગુજરાતમાં સાગરખેડૂના વિશાળ હિતમાં વધુ એક સોપાન રૂા. ૨૪.૬૫ કરોડના ખર્ચે તૈયાર થનાર મત્ય્રોજ ઉતરાણ કેન્દ્રખ (ફલોટિંગ જેટી સાથે) વિકસાવવાના કામનું ભૂમિપૂજન નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સલ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્તેજ કરાયું હતું. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ઉમરસાડી ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ ફલોટીંગ જેટી બનશે.…
Read Moreનાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં રૂા.૧૪૪૩.૩૨ લાખના વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત/ લોકાર્પણ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા વિસ્તાપરમાં સ્વસર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્દ્રિાત જિલ્લા આયોજન અંતર્ગત રૂા.૧૪૦૩.૭૭ લાખના ખર્ચે પાંચ કામોના ખાતમુહૂર્ત તેમજ રૂા.૩૯.૫૫ લાખના ખર્ચે બે વિકાસકાર્યોના લોકાર્પણ મળી કુલ રૂા.૧૪૪૩.૩૨ લાખના ખર્ચે ૦૭ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરાયા હતા. આજે ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં ધરમપુર નગરપાલિકાની પાણી પુરવઠા સુધારણા યોજના અંતગર્ત વિવિધ વિસ્તાેરમાં રાઈઝીંગ મેઇન લાઇન, પાણીની ટાંકીઓ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપરૂમ…
Read Moreસુરત શહેરના કતારગામ વિસ્તારમાં આશરે દોઢસો થી વધારે દુકાનોને મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સિંગણપુર ચાર રસ્તા પાસે આવેલ ચૌધરી મેડિકલ સ્ટોર થી લઈને સિંગર પૂર મેન રોડ ઉપરની આશરે દોઢસો થી વધારે દુકાનોને મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. જેમાં 700 જેટલા લોકોની રોજીરોટી ઉપર સવાલ થઈ રહ્યા છે પ્રાથમિક માહિતી પ્રમાણે આ જગ્યાની આસપાસ ફેરીયા વાળા અને લારીવાળા પોતાની રોજગારી માટે ઉભા રહે છે એ કારણને લીધે મેડિકલની દુકાનવાળા ભાઇને કોઇપણ જાતનો વાંકગુનો વગર કોઈ જાતની જાણકારી આપ્યા વગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દબંગ અધિકારીઓએ તાત્કાલિક સીલ કરી દીધું જેના…
Read Moreધંધુકામાં થયેલ હત્યા પડઘા જસદણમાં પડ્યા
હિન્દ ન્યુઝ, ધંધુકા ધંધુકામાં થયેલ કિસન ભરવાડ હત્યા મામલે સોમવારે જસદણ શહેરના તમામ હિન્દૂ સંગઠનનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અનુસનધાને જસદણ શહેરના હીરાબજાર, હલર ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિકસ તેમજ તમામ વેપાર ઉધોગ સ્વાયંભુ બંધ પાળેલ સાથે હિંદૂ સંગઠન તેમજ માલધારી સમાજ દ્વારા જસદણના આટકોટ રોડ વેલાગેલના પડામાં હજારોની સંખ્યામાં ભેગા થઈ સ્વ.કિસન ભરવાડને શ્રદ્ધાંજલિ આપેલ. મૃતકને તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી સરકારને અપીલ કરેલ આ તકે કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ માટે જસદણ પોલિસ ખડે પગે રહી હતી.…
Read Moreસમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૪થી ફેબ્રુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા
નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ હિન્દ ન્યુઝ, ભુજ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૧૧/૧/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૨૧/૧/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવમાં આવેલ. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૨૮/૧/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના નિયંત્રણો સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૦૪/૦૨/૨૦૨૨ સુધી…
Read Moreસુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રામાં શાંતિ સમિતિ ની મીટીંગ બોલાવવામાં આવી
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા હિન્દુ મુસ્લિમ તથા દરેક સમાજના અગ્રણી નાગરિકો ને બોલાવી સીટી પોલીસ સ્ટેશન ખાતે આજે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.સોલંકી તથા ડી.વાય.એસ.પી. દેવધા મિટિંગમાં હાજર દરેક સમાજના અગ્રણીઓને ધાંગધ્રા શહેરમાં કોઈ ઉશ્કેરીરર્ણી જનક કૃત્યન થાય તથા ધ્રાંગધ્રાના હિંદુ-મુસ્લિમ સમાજની એકતા બરકરાર રહે તે માટે વિનંતી કરી હતી અને બંને પક્ષોના સૂચનો સાંભળ્યા હતા અને બન્ને સમાજના અગ્રણીઓએ પણ ધ્રાંગધ્રા શહેર ની અંદર બન્ને સમાજ સંપીને રહેવાના છીએ એવી ખાતરી આપી હતી. રિપોર્ટર : સલીમ ઘાંચી,…
Read Moreવન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને કચ્છના પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ સ્મૃતિવનની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, કચ્છ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને કચ્છના પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ ભુજીયા ડુંગરની તળેટીમાં આકાર પામી રહેલ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. આ તકે બંન્ને મંત્રીઓ સ્મૃતિવનની કામગીરીથી માહિતગાર થયા હતા. અને સ્મૃતિવનની કામગીરી ઝડપથી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ સ્મૃતિવનમાંજ નિર્માણ પામેલ મિયાવાકી વનની પણ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિવનમાં ત્રણ લાખથી પણ વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે સામાજિક અગ્રણીઓ વિનોદભાઇ ગઢવી, ભરતભાઇ સંઘવી નાયબ…
Read More