ધંધુકામાં થયેલ હત્યા પડઘા જસદણમાં પડ્યા

હિન્દ ન્યુઝ, ધંધુકા

           ધંધુકામાં થયેલ કિસન ભરવાડ હત્યા મામલે સોમવારે જસદણ શહેરના તમામ હિન્દૂ સંગઠનનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અનુસનધાને જસદણ શહેરના હીરાબજાર, હલર ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિકસ તેમજ તમામ વેપાર ઉધોગ સ્વાયંભુ બંધ પાળેલ સાથે હિંદૂ સંગઠન તેમજ માલધારી સમાજ દ્વારા જસદણના આટકોટ રોડ વેલાગેલના પડામાં હજારોની સંખ્યામાં ભેગા થઈ સ્વ.કિસન ભરવાડને શ્રદ્ધાંજલિ આપેલ. મૃતકને તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી સરકારને અપીલ કરેલ આ તકે કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ માટે જસદણ પોલિસ ખડે પગે રહી હતી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

 

Related posts

Leave a Comment