હિન્દ ન્યુઝ, જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા કરી.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજની ઉપર આવેલ સાત રસ્તા સર્કલ પર પહોંચી બાંધકામની સ્થિતિ, બ્રિજની એન્જિનિયરિંગ ડિઝાઈન, જન-સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાપનના પાસા અંગે સંબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી.


