હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જીલ્લામાં બાગાયત ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે.વર્ષ ૨૦૨૩-૨૪ માટે લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએતા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી કર્યા બાદ જરુરી સાધનિક પુરાવાઓ સાથે “નાયબ બાગાયત નિયામક, જિલ્લા બાગાયત કચેરી, વેરાવળ નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. (૦૨૮૭૬)૨૪૦૩૩૦, વેરાવળના સરનામે મોકલી આપવાની રહેશે.
અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા. આ અંગે વધુ માહિતી કે વિગતો માટે નાયબ બાગાયત નિયામક બાગાયત કચેરી, વેરાવળનો સંપર્ક કરવો તેમ નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ એક યાદીમાં જણાવ્યું છે.