હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬ અંતર્ગત આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના હસ્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બારીયા તેમજ બસ સ્ટેન્ડ પોલિયો બુથ ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેવગઢ બારીયા તાલુકામાં આ અભિયાન અંતર્ગત કુલ 41,165 બાળકોને પોલિયો રસીકરણ દ્વારા સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તાલુકામાં 177 પોલિયો બુથ તેમજ 10 ટ્રાન્ઝિટ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. અભિયાનના પ્રથમ દિવસે અંદાજે 35,000 બાળકોને…
Read MoreMonth: June 2026
પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવ ડી. એન. મોદીની કુછડી, રાતડી અને વિસાવાડા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ઉજવણીમાં થયા સહભાગી
હિન્દ ન્યુઝ, પોરબંદર રાજ્ય સરકારના “દરેક બાળક શિક્ષિત બને”ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવ ડી. એન. મોદી અને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ અંતર્ગત તેમણે કુછડી પી.એસ.ઈ. શાળા, કુછડી સીમ-૧ શાળા, રાતડી પ્રાથમિક શાળા, વિસાવાડા પ્રાથમિક શાળા, એચ.જે.કે. હાઈસ્કૂલ વિસાવાડા તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડામાં યોજાયેલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ગામડાંઓમાં ઉત્સવમય વાતાવરણ વચ્ચે નવપ્રવેશી બાળકોના ચહેરા…
Read Moreबहादुर सैनिकों का सम्मान
हिन्द न्यूज़, दिल्ली मीडिया और सोशल मीडिया के कुछ मंचों पर यह भ्रामक दावा किया जा रहा है कि ‘ऑपरेशन सिंदूर’ के दौरान सर्वोच्च बलिदान देने वाले छह वीर सैनिकों को हाल ही में सर्वप्रथम आधिकारिक मान्यता दी गई या उनके बलिदान को पहली बार सार्वजनिक किया गया। यह दावा पूरी तरह तथ्यात्मक नहीं है। वास्तविकता यह है कि राष्ट्र ने इन शहीद वीरों को उन खबरों के सामने आने से बहुत पहले ही समय पर श्रद्धांजलि अर्पित कर दी थी। 11 मई, 2025 को आयोजित आधिकारिक प्रेस…
Read Moreવડોદરા એગ્રી-બિઝનેસ અને એગ્રો-પ્રોસેસિંગનું નવું હબ બનવા તરફ અગ્રેસર!
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લામાં વર્ષ 2025-26માં ખરીફ તુવેરનું 14033 હેક્ટરમાં વાવેતર અને 23421 મેટ્રિક ટનથી વધુનું રેકોર્ડબ્રેક ઉત્પાદન; વાવેતરમાં વાઘોડિયા અને ઉત્પાદનમાં પાદરા તાલુકો મોખરે. આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમીટ: વડોદરા’ આપણા સ્થાનિક પાકને વૈશ્વિક મંચ આપવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Read Moreવિકાસ કમિશનર ડી. એન. મોદીએ વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, પોરબંદર રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિકાસ કમિશનર ડી. એન. મોદી અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ આજે પોરબંદર જિલ્લાના કુછડી, રાતડી અને વિસાવાડા ગામોની શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. વિકાસ કમિશનરશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને અપાતી સારવાર, તેમજ વિવિધ આરોગ્ય સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ ઓડેદરા, અગ્રણી આવડા ઓડેદરા, માલદેભાઈ સહિત અગ્રણીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ…
Read Moreઔદ્યોગિક વિકાસનો આનંદ, “આત્મનિર્ભર ભારત” અભિયાનનું ગૌરવ….
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની ઉદ્યોગ-સાહસિક નીતિઓ અને સુદૃઢ આંતરમાળખાને કારણે મધ્ય ગુજરાત આજે રાજ્યના અર્થતંત્રના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે વૈશ્વિક નકશા પર ઉભરી આવ્યું છે… વડોદરા જિલ્લામાં 15926 હેક્ટરમાં પથરાયેલી 8 પ્રમુખ GIDCમાં 4984 જેટલા ઉદ્યોગો રાજ્યના ઔદ્યોગિક માળખાને મજબૂતી પ્રદાન કરી રહ્યા છે… વડોદરાની મકરપુરા GIDC 2354 સક્રિય એકમો સાથે પ્રગતિશીલ ઉદ્યોગોનું મુખ્ય પાવરહાઉસ બનીને નેતૃત્વ કરી રહી છે… પંચમહાલમાં 1897 એકમો, દાહોદમાં 527 અને છોટાઉદેપુરમાં 27 એકમો GIDC અંતર્ગત કાર્યરત થતાં સ્થાનિક સ્તરે આર્થિક સમૃદ્ધિ અને રોજગારીનું ભવ્ય સર્જન થયું છે……
Read Moreકચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ પ્રાંત અધિકારીએ ખાવડામાં ગેરકાયદે ખનીજનું વહન કરતા ૭ વાહનો સીઝ કર્યા
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન પર અંકુશ લાવવા માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન અંતર્ગત ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ દ્વારા આજે સવારે ખાવડા ગામ નજીક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખનીજનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાના અંદાજિત ૭ જેટલા ટ્રકો ઝડપાયા હતા. ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા આ વાહનોને રોકીને ચકાસણી કરવામાં આવતા વાહનચાલકો પાસે કોઈ માન્ય રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી…
Read Moreઅબડાસાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીમાં રૂ.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, પશ્ચિમ કચ્છ દ્વારા જિલ્લાભરમાં સર્વેલાન્સ અને સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ભૂસ્તરશાસ્ત્રીશ્રી દેવેન્દ્રસિંહ બારીયાએ ખાણ-ખનીજ વિભાગની વિશેષ તપાસ ટીમ બનાવી અબડાસા તાલુકાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાની ગંભીર પ્રવૃત્તિઓ સામે આવતા તાત્કાલિક…
Read Moreકચ્છ: પ્રગતિનો પ્રવેશોત્સવ : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬-૨૭
હિન્દ ન્યુઝ, કચ્છ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ તૃતીય દિવસે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ નખત્રાણા તાલુકાની સંતશ્રી ખેતાબાપા હાઈસ્કૂલ વિથોણ, ટી.ડી.વેલાણી કન્યા માધ્યમિક શાળા નખત્રાણા અને મથલ કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવીને બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રીએ વિથોણ કુમાર પ્રાથમિક શાળા અને શ્રી મથલ પ્રાથમિક કન્યા શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય…
Read Moreનીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત કેન્દ્રીય પ્રભારી અધિકારી (Central Prabhari Officer) શેખ અમીનખાન ૨૬ જૂનથી કચ્છની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ભુજ નીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ (ABP) હેઠળ નિયુક્ત કેન્દ્રીય પ્રભારી અધિકારી (CPO) અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડાયરેક્ટર શ્રી શેખ અમીનખાન (IRS-C&IT: 2011) આગામી ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના બે એસ્પિરેશનલ બ્લોક— રાપર અને લખપત માં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ કાર્યક્રમ અંતર્ગત નક્કી કરાયેલા ૩૯ મુખ્ય લક્ષ્યાંકો (KPIs) ની પ્રગતિ ચકાસવાનો છે. પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રભારી અધિકારી શેખ અમીનખાન જિલ્લા વહીવટી તંત્રના…
Read More