હિન્દ ટીવી – ગુજરાતી, હિંમતનગર લોખંડી પુરુષ સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ” અંતર્ગત હિંમતનગર ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના હેતુસર આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન હેતુ બે દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું…
Read MoreDay: November 19, 2025
મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રોપા–ધરુ પર ૫૦% એટસોર્સ સહાય
હિન્દ ન્યુઝ, પોરબંદર યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોએ જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સેન્ટર ખાતે નોંધાવી દેવાનો રહેશે. બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ખેડુતોને ગુણવત્તાસભર પ્લાંટીંગ મટીરીયલ વ્યાજબી દરે મળે અને શરૂઆતના વાવેતર ખર્ચમાં રાહત મળે તે હેતુસર પ્લાંટીંગ મટીરીયલ પર એટસોર્સ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ, મજીવાણા ખાતે ઉત્પાદિત ફળ ઝાડના રોપા તેમજ ખેડૂતના ઓર્ડર મુજબ તૈયાર થનારા રીંગણા, ટામેટા અને મરચાના ધરુ ઉપર મૂળ કિંમત રૂ. ૧ પ્રતિ ધરું ઉપર…
Read Moreજિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂતો સાથે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિક્રમભાઈ માહલા, એગ્રી આસિસ્ટન્ટ કલ્પેશ ચૌધરી અને માર્કેટિંગ સલાહકાર યોગેશ પટેલે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં ડો. વિક્રમ શિયાલ આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટીસ્ટ અને મહેન્દ્ર મેવાડા જુનિયર રિસર્ચ ફેલો એ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો (૧) બીજામૃત (૨)જીવામૃત (૩) આચ્છાદન (૪) વાફસા (૫) મિશ્રપાક અને વિવિધ અસ્ત્રો વિષે ખેડૂતોને માહિતી આપી અને મોડેલ ફાર્મની વિઝીટ કરાવી હતી. પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો અંગે કપરાડા તાલુકાના ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી…
Read Moreપોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે વિકાસ કરાશે
હિન્દ ન્યુઝ, પોરબંદર વિકાસ ભી, વિરાસત ભી પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં ₹43 કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ, પાર્કિંગ પરિસર સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ₹48 કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર, ચોરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલપમેન્ટના વિકાસકાર્યો પૂર્ણ કરાયા.
Read More