રક્તપિત્ત નાબૂદીના પંથે ગીર સોમનાથ જિલ્લો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લાનો આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.એસ.રૉયની સૂચનાથી ઊના, કોડીનાર અને વેરાવળ એમ ત્રણ તાલુકાઓમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૪ લાખથી વધુ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી માત્ર ૫ દર્દીઓ જ પોઝિટિવ જણાયા હતાં. આ પાંચેય દર્દીઓને સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે તમામ સારવાર સાથે જ દર મહિને રૂ.૮૦૦ની તબીબી સહાય પણ આપવામાં આવે છે.  ગીર સોમનાથ…

Read More

ભાવનગર જિલ્લાની જશવંતપુર પ્રાથમિક શાળામાં તમાકુથી થતાં નુકસાન અંગે ચિત્ર સ્પર્ધા અને પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લાની જશવંતપુર પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેળાઈ દ્વારા ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, ચિત્રકાર સુરેન્દ્રસિંહ સરવૈયાના સંકલનથી તમાકુથી થતા નુકસાન અંગેની ચિત્ર સ્પર્ધા અને પરિસંવાદ યોજાયો હતો. સુપરવાઇઝર મનોજભાઈ રાવળ દ્વારા સ્પર્ધા અંગે મહત્વ સમજાવેલ, ચિત્રકાર સુરેન્દ્રસિંહ સરવૈયા દ્વારા બાળકોને ચિત્ર કઈ રીતે દોરવું તેની માહિતી આપી હતી. ચિત્રકાર સોનલબેન સરવૈયા દ્વારા ચિત્રો અને રંગો વિશેષ સમજણ અપાઈ હતી. તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, મનોજભાઈ રાવલ દ્વારા દૂષિત પાણીથી થતા રોગો અંગે સમજણ આપવામાં આવી હતી. આ તકે મેડિકલ ઓફિસર ડો. ઋત્વીબેન માંગુકિયા…

Read More

આણંદ ખાતે “મરી મસાલા શાકભાજી પાકો: વૈજ્ઞાનિક અભિગમ” વિષયક એક દિવસીય તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદમા બુધવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્યા શાકભાજી સંશોધન કેન્દ્રી ખાતે “મરી મસાલા શાકભાજી પાકો : વૈજ્ઞાનિક અભિગમ” વિષય ઉ૫ર મિશન ફોર ઈન્ટીવગ્રેટેડ ડેવલ૫મેન્ટ્ ઓફ હોર્ટીકલ્ચર યોજના અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ યોજવામાં આવી હતી.  આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એમ.કે.ઝાલાએ આ પ્રકારના તાલીમ કાર્યક્રમોમાં જોડાઈને ‘મરી મસાલા શાકભાજી પાકોનો વ્યાપ વધારવા અંગે વૈજ્ઞાનિકો અને ખેડૂતોને પ્રોત્સાાહન પૂરૂં પાડ્યું હતું.  મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રના યુનિટ અધિકારી અને સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર.આર.આચાર્ય એ ખેડૂતોને જુદા જુદા શાકભાજી પાકોની સંશોધિત જાતોની વિગતવાર માહિતી આપી હતી. આણંદ કૃષિ…

Read More

सरदार पटेल भवन में अत्याधुनिक सुविधाओं से लैस नवीकृत राज्य आपातकालीन संचालन केंद्र का उद्घाटन

हिन्द न्यूज़, बिहार      बिहार के सरदार पटेल भवन में अत्याधुनिक सुविधाओं से लैस नवीकृत राज्य आपातकालीन संचालन केंद्र का उद्घाटन किया तथा निर्णय समर्थन प्रणाली (Decision Support System) का शुभारंभ किया। इस व्यवस्था की शुरुआत होने से आपदा प्रबंधन कार्यों का और बेहतर ढंग से समन्वय के साथ निष्पादन किया जा सकेगा। बिहार राज्य आपदा प्रबंधन प्राधिकरण और आपदा प्रबंधन विभाग आपदा प्रबंधन कार्यों का बेहतर ढंग से निष्पादन कर रहे हैं। जिन नई डिवाइस और तकनीक का प्रयोग हो रहा है, उनके संबंध में कर्मियों तथा लोगों…

Read More

જામનગરમાં આગામી તા.22 ફેબ્રુઆરીએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર   ગુજરાતના મુખ્યમંત્રી તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અંતર્ગત, દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.22 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા.10 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૂ સેક્શન રોડ, ખાતે મોકલી આપવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલા પ્રશ્નો/અરજીનો…

Read More

જોડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા- પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જોડિયા  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની નજીકના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું…

Read More

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર  જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા. ઉક્ત બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, ઈ.એમ.ઑ., તાલુકાના આરોગ્ય અધિકારીઓ, ડી.પી.સી. આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહયા હતા.    

Read More

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાલાવડ તાલુકાના ભલસાણ ગામે ખેત શ્રમિકની મુલાકાત લઈને તેમનું કાઉન્સેલિંગ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર        કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાંં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ 24 કલાકની અંદર બાળકને પોલીયો બી. સી.જી., વિટામિન કે અને હિપેટાઇટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભલસાણ ગામના નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં aefi (adverse effect of immunzation) જેવો કેસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ ખેત શ્રમિક પરિવારને જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે દાખલ થવા માટે…

Read More

ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર       મે.રોયલ મેડિકલ સ્ટોર્સ નામે પેઢી લાલવાડી, પટેલ સમાજ સામે, જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ની કલમ 18 (a) (vi) અને 18 (c), 18-A તથા 22 (1) (cca) નો ભંગ કરી કલમ 27(b) (ii) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે. તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ શખ્શો મળી આવતા નથી. તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે, મે. રોયલ મેડિકલ સ્ટોર્સ નામે…

Read More

ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર મે. હુશૈની મેડિસીન્સ નામે પેઢી જામનગર, વાધેરવાડો, બાલ મંદિર ચોક, જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ ની કલમ 18(a) (vi) અને 18 (c), 18-A તથા 22 (1) (cca) નો ભંગ કરી કલમ 27(b)(ii) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ શખ્શ મળી આવતા નથી. તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે, હુશૈન મેડિસીન્સ નામે પેઢી તે ફરિયાદનો જવાબ…

Read More