હિન્દ ન્યુઝ, ભાવનગર આજથી રાજ્યભરમાં કોરોનાના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર ખાતે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે સૌ પ્રથમ કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈને એક આગવી શરૂઆત કરાવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જે પણ લોકો આ રસી લેવાં માટે પાત્ર ઠરે છે તે લોકોએ રસીકરણ લઈ લેવાં માટે અનુરોધ કર્યો હતો. આઝાદીના અમૃત પર્વ પ્રસંગે રાજ્યમાં ૧૫ જુલાઈથી ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનના અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.…
Read MoreDay: July 15, 2022
હળવદ તાલુકાના વેગડવાઈ ગામે ગટર સાફ કરવાની કામગીરી પર તંત્ર પર ઉઠ્યો સવાલ
હિન્દ ન્યુઝ, હળવદ હળવદ તાલુકાના વેગડવાઈ ગામે આજે ૧૫ દિવસ પહેલા ગામ પંચાયત દ્વારા ગટર સાફ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ આજે ન જાણે ગટર સાફ થઈ છે કે નહીં એ સાબિત કરતી ગટર ઉભરાય અને ગામના સરાચોકે શેરી અને ગામમાં ઉભરાતી અને ઘરની બારણે સુધી પહોંચી છે ગંદકીની વાત કરીએ તો દરેક લોકોને માંદગીનું દ્રશ્ય યાદ આવે છે અને આજે મેલેરીયા મચ્છર ઉત્પન્ન થઈ ને નવજાત બીમારી પેદા કરે છે એવા વેગડવા ગામના લોકોએ ગટર સાફ કરવા બાબતે માંગ ઉઠી છે અને ગટરને ખુલી કરી આપે અને…
Read More