હિન્દ ન્યુઝ, ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટી તંત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુશાસન એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાસ યાત્રાની સફળતા છે અને ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ’ એ ગુજરાતનો ધ્યેયમંત્ર રહ્યો છે – ગાંધીનગરમાં રૂ.૧૫.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૪ બગીચાઓ અને નવીનીકરણ કરાયેલા બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ઈ-લોકાર્પણ – બાવળા નગરપાલિકા દ્વારા તૈયાર થનાર કુલ ૪૬૮ રહેણાંક એકમોના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનું પણ ઈ-ખાતમુહૂર્ત
Read MoreDay: December 30, 2021
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય – રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં – મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય – રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં – મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી NLRMP હેઠળ ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય. nરીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરાશે રીસર્વે કામગીરીમાં અંદાજે ૯૫ લાખ સર્વે નંબરોની સામે આવેલી ૫.૨૮ લાખ વાંધા અરજીઓમાંથી…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સપનાઓને ચરિતાર્થ કરવા માટે તેમના જન્મદિવસને વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહમા રાજય સરકારના જુદા જુદા વિભાગોના નવા પ્રકલ્પો, લોક કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના લાભ, મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિભાગના નવ જેટલા બોર્ડ/નિગમોની…
Read Moreબોટાદ ખાતે ગુડ ગવર્નન્સ ઉજવણી અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ વિકસતિ જાતિ અને સમાજ સુરક્ષા ક્ચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજ રોજ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ નગરપાલિકા હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ વિકસતિ જાતિ અને સમાજ સુરક્ષા ક્ચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેક વિધ કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓની…
Read Moreમોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યસભાના સાંસદની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહનો પાંચમો દિવસ ઉજવાયો
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકારના સુશાસન સપ્તાહના અન્વયે સામજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતી વિભાગ દ્વારા આયોજીત પાંચમાં દિવસે અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં જીલ્લાના લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાઓના લાભો તથા મંજૂરી પત્રકોનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા. આ પ્રસંગે સાંસદ જુગલજી ઠાકોર પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે, માં ભોમની રક્ષા કાજે બોર્ડર પર દેશના જવાનો પોતાની છાતી પર ગોળી ખાવા માટે તૈયાર રહે છે. માં ભોમની રક્ષા કરવા માટે દેશનો દરેક સૈનિક શહીદી વહોરે છે. આપણા દેશના વીર જવાનોથી ભારત માતા અને આપણે સૌ…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સપનાઓને ચરિતાર્થ કરવા માટે તેમના જન્મદિવસને વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહમા રાજય સરકારના જુદા જુદા વિભાગોના નવા પ્રકલ્પો, લોક કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના લાભ, મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિભાગના નવ જેટલા બોર્ડ/નિગમોની…
Read Moreભાવનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સાધન સહાય વિતરણ અને વિવિધ યોજના લાભ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્રારા તા.૨૫-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ પાનવાડી ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૦ લાભાર્થીઓને વિદેશ સહાય, આંતરજ્ઞાતિય લગ્ન સહાય, કુંવરબાઈનું મામેરુ, આંબેડકર સફાઇ કામદાર મકાન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય વગેરે વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે રૂ.૬૭ લાખના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણાએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે.…
Read Moreસુશાસન સપ્તાહ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો
હિન્દ ન્યુઝ, ભારત બિચારૂ- બાપડુ રહ્યું નથી, ભારત આજે વિશ્વગુરૂ બનવા જઇ રહ્યુ છે : સાંસદ દિપસિંહ રાઠોડ સુશાસન સપ્તાહ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા લાભાર્થીઓને સહાય વિતરણ, પ્રમાણપત્ર વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અટલજીના માનમાં તેમના જન્મ દિવસને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુશાસન દિન તરીકે ઉજવવાનું શરૂ કરી ખુબ જ પ્રશંસનિય કામગીરી કરી છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના…
Read Moreમહેસાણા જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકાર દ્વારા અટલબિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે આયોજીત સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે મહેસાણા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, જન જાતિ તેમજ સમાજના નીચલા વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સતત પ્રયત્નશીલ છે. તેમણે આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે. સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે સંવેદનશીલ નેતૃત્વ દ્વારા સમાજનો કોઈ પણ વ્યક્તિ પછાત ન રહે,…
Read Moreહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની ગરીમામયી ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી
હિન્દ ન્યુઝ, સુશાસનનો મૂળમંત્ર આપનાર ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મજયંતિના દિવસથી શરૂ થયેલ સપ્તાહ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આપણા દેશમાં લોકશાહીના કારણે પ્રજાને તક મળે છે કે તે યોગ્ય જનપ્રતિનિધિઓને ચૂંટી શકે. છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી આ સરકારે પ્રજાજીવનના ઉદ્ધાર માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી…
Read More