હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને આગામી તા. ૩જી જાન્યુઆરીથી વેક્સિન અપાશે આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવાઈ – આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ રાજ્યભરમાં ૩૦ લાખથી વધુ બાળકોને અપાશે રસી : જિલ્લાકક્ષાએ શાળાઓમાં તથા હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત રસી અપાશે સિનિયર સિટીઝન તથા હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસોને તા. ૧૦મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ અપાશે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ
Read MoreDay: December 28, 2021
બોટાદ ખાતે ગુડ ગવર્નન્સ ઉજવણી અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજ રોજ ખેતીવાડી વિભાગ દ્વારા નગરપાલિકા બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, ભારત ખેતી પ્રધાન દેશ છે ખેતી કેવી રીતે સમૃધ્ધ બને, રાષ્ટ્રના – રાજયના ખેડૂતોને યોજનાનો લાભ કઈ રીતે મળે તેના પ્રયાસો સરકાર કરી રહી છે દેશના વિકાસમા ખેડૂતોનો મહત્વનો ભાગ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કઈ રીતે…
Read Moreઅરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્ય બિન અનામત વર્ગના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, અરવલ્લી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યના ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગના ઉપાધ્યક્ષ રશ્મિભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે “કૃષિ કલ્યાણ દિવસ”ની ઉજવણી કરાઈ. જેમાં રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભ તથા સહાયના ચેક તેમજ કીટ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખેડૂત પુત્રોને ઉદ્ભોદન આપતા ઉપાધ્યક્ષ રશ્મિભાઇ પંડ્યાએ જણાવ્યું કે, આપને ૨૫ ડીસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપયીજીના જન્મ જયંતિને સુશાસન દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. અટલજીએ સુશાસનમાં માનતા હતા કે…
Read Moreપાટણ એ.પી.એમ.સી. ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ખેડૂતલક્ષી સાધન સહાયનું વિતરણ
હિન્દ ન્યુઝ, પાટણ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઈજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ એ.પી.એમ.સી. ખાતે પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાસંદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આ દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે કૃષિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી…
Read Moreસુશાસનના દિનના ચોથા દિવસે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માર્કેટયાર્ડ ખેડબ્રહ્મા ખાતે મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્રો, હુકમો તથા રાજ્ય-જિલ્લાકક્ષાના પ્રગતિશીલ ખેડૂતોને ટ્રોફી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા રૂ. ૨૫ લાખની સહાય
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા રાજય સરકાર દ્વારા તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન રાજયના ૩૩ જિલ્લાઓમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ લોકસભાના સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન ખેતીવાડી બાગાયત, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારની વાડ સહાય મળીને અંદાજે રૂ. ૨૫ લાખની સહાય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું…
Read Moreસાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલ ખેલ મહોત્સવમાં સ્ટેડિયમના ખેલાડીઓ દ્વારા નવા રેકોર્ડ ત્રણ ખેલાડીઓએ ૧૨ જેટલા સુવર્ણચંદ્રક મેળવ્યા
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે તા. ૨૨ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન ત્રિ-દિવસીય આંતર કોલેજ ખેલ મહોત્સવ યોજાયો. આ ખેલ મહોત્સવમાં ૧૨૭ કોલેજના ૧૨૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ ખેલ મહોત્સવમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમના ૩ ખેલાડીઓ દ્વારા ખુબ જ પ્રસંશનિય પ્રદર્શન કરી ૧૨ સુવર્ણ પદક મેળવી જિલ્લાનુ નામ રોશન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિકરીઓ દ્રારા નવા રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં નિરમા અસારીએ ૨૦૦ મીટર, લાંબો કુદકો, ત્રીપલ જંપમાં યુનિવર્સીટીના તમામ જુના રેકોર્ડ્સ તોડી ત્રણ સુવર્ણચંદ્રકો પોતાના નામે કર્યા હતા અને…
Read Moreપાટણ એ.પી.એમ.સી.ના ઑડિટોરીયમ હૉલ ખાતે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના વિવિધ ૦૭ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે
હિન્દ ન્યુઝ, પાટણ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૨૯ ડિસેમ્બરના રોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના કુલ રૂ.૧૩૭.૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ ૦૭ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ રૂ.૭૦ લાખના ખર્ચે હારીજ માર્કેટયાર્ડ રોડને પહોળો કરવાની કામગીરીનું ખાતમૂર્હૂત પણ કરવામાં આવશે. પાટણ એ.પી.એમ.સી.ના ઑડિટોરીયમ હૉલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના રૂ.૮૫૩.૪૬ લાખના ખર્ચે બનેલા મણીયારી-મીઠીઘારિયાલ રોડ પર આવેલા પુષ્પાવતી નદી પરના બ્રીજ, રૂ.૫,૦૧૫ લાખના ખર્ચે ચારમાર્ગીયકરણ કરવામાં…
Read Moreબોટાદ ખાતે તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લાના ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી ઘડતરની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થાય તેવા હેતુસર રોજગાર ભરતીમેળા કાર્યક્રમનું સંકલ્પ થી સિધ્ધી અભિગમ અન્વયે ૧૦૦ દિવસના લક્ષ્યાંક નિર્ધારિત કરી નવતર અભિગમ અપનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. પ્રસ્તુત અભિગમ હેઠળ હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીઓના લાભાર્થીઓને મળેલ યોજનાકીય સહાય તેમજ નવીનતમ પ્રકલ્પોના શુભારંભ હેતુસર જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહ કાર્યક્રમનું આયોજન તા. ૩૦/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા કેમ્પસ, બોટાદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષતામા…
Read Moreમહેસાણા માર્કેટ યાર્ડ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહના ભાગ રૂપે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, મહેસાણા સુશાસન સપ્તાહની ઉજવણીના અવસરે મહેસાણાના માર્કેટ યાર્ડ ખાતે કૃષિ દિવસની ઉજવણી પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ભારતરત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની કેન્દ્ર અને રાજ્ય સરકાર “સુશાસન દિવસ” તરીકે દર વર્ષે ઉજવણી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે પણ કમરકસી છે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકેલી છે. વધુમાં ઉમેર્યું હતું કે, કુદરતી આફતોને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને આર્થિક નુકસાની સામે સરકારે વળતર ચુકવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
Read Moreસાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્રારા કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે સજ્જ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે તેમજ ખાસ કરીને કોરોના જેવી મહામારીના સમયે આરોગ્ય વિભાગ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાની જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્ય વિભાગે સતત ૨૪ કલાક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં કોરોના રસીકરણ અંગે જનજાગૃતિ માટે પણ સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો થી અત્યાર સુધીમાં ૧૮ વર્ષના ૯૨.૨૨ ટકા નાગરીકોને પહેલો ડોઝ અને ૯૫.૧૮ ટ્કા નાગરિકોને કોરોના રસીના બંન્ને ડોઝથી સુરક્ષિત કરાયા છે. સાબરકાંઠાના ૬૩૮ ગામોની સંપૂર્ણ કોરોના…
Read More