હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ટેનિસ કપ ટૂર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ડી.એમ.કપ ટેનિસ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે જણાવ્યું હતું. કલેકટરએ જણાવ્યું કે, રમત તમારા જીવનમાં સ્ફૂર્તિ લાવે છે. દરરોજ એક કલાક રમત માટે ફાળવવાથી દિવસભર સ્ફૂર્તિ રહે છે. રમતમાંથી જે આનંદ મળે છે તે બીજે ક્યાંયથી મળતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, દિવસની એક કલાકની રમત તમારા જીવનમાં દસ વર્ષનો વધારો કરશે. કોરોના જેવા સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. જે આવી…
Read MoreDay: December 18, 2021
પોસ્ટ ઓફીસ-કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) મારફત ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના શ્રમ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઇઝડ વર્કર્સ (NDUW) પ્રોજેકટ અંતર્ગત અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા માટે eshram.gov.in પોર્ટલને તા.૨૬/૦૮/૨૦૨૧ નાં રોજ લોન્ચ કરેલ છે. જેમાં રાજયને શ્રમ મંત્રાલય દ્વારા ૧.૭૯ કરોડ અસંગઠિત શ્રમયોગીની નોંધણીનો લક્ષ્યાંક આપેલ છે. હાલમાં ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.), સ્ટેટ સેવા કેન્દ્ર (ઇ-ગ્રામ) અને સ્વ નોંધણીની જોગવાઇ છે. જેમાં ઉમેરો કરીને રાજ્યમાં આવેલ તમામ મુખ્ય પોસ્ટ ઓફીસ તથા તેમની શાખાઓને પણ કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) તરીકે જાહેર કરવામાં આવેલ છે.…
Read Moreભાવનગરના જવાહર મેદાન ખાતે અમૃત આહાર ઉત્સવ-૨૦૨૧ નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે અમૃત આહાર ઉત્સવ-૨૦૨૧ નો આજથી પ્રારંભ થયો છે. જવાહર મેદાન, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે યોજાયેલ આ ત્રિ-દિવસીય અમૃત આહાર ઉત્સવમાં ભાવનગરવાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીની જ્યાફતનો અવસર ઉપલબ્ધ બનશે. આજના ઝડપી અને દોડધામ પરિણામ જીવનમાં ભૌતિક જરૂરિયાતોની શોધમાં આપણે સુખ શોધીએ છીએ આ જરૂરિયાતો સંતોષવા આપણે પ્રકૃતિના નિયમોને નેવે મૂકીને પર્યાવરણ અસંતુલિત થાય તેવા બેફામ કાર્યો કરીએ છીએ. જંગલોનો સફાયો કરવાથી માંડીને ઉદ્યોગો અને વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગથી આપણી પ્રાકૃતિક જરુરિયાત એવાં હવા, પાણી, પ્રદૂષિત થયાં છે. વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવાની લ્હાયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણીક…
Read Moreભાવનગરના બુઢાણા ગામની દીકરી બરછીફેકમાં રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢાણાની વિદ્યાર્થીની કુ. ધરતી ભરતભાઈ માહી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર ખાતે યોજાઇ હતી તેમાં બરછીફેકની રમતમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કુ. ધરતી હવે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી રાજ્ય કક્ષાએ યોજાનાર એથ્લેટિક સ્પર્ધામાં બરછીફેકની રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરવા માટે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ તથા કોચ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અનુભાઈ તેજાણી તથા મંત્રી રામભાઈ ધામેલીયાએ કુ. ધરતીને ખૂબ – ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢાણાની વિદ્યાર્થીની કુ. ધરતી ભરતભાઈ માહી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર ખાતે યોજાઇ હતી તેમાં બરછીફેકની રમતમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કુ. ધરતી હવે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી રાજ્ય કક્ષાએ યોજાનાર એથ્લેટિક સ્પર્ધામાં બરછીફેકની રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરવા માટે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ તથા કોચ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અનુભાઈ તેજાણી તથા મંત્રી રામભાઈ ધામેલીયાએ કુ. ધરતીને ખૂબ – ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. બ્યુરોચીફ (ભાવનગર) :…
Read Moreબનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા મુકામે અદ્વૈત આર્ટ્સ કોલેજમાં ગીતા જ્યંતિ ઉજવવામાં આવી
હિન્દ ન્યુઝ, લાખણી તારીખ ૧૬/૧૨/૨૦૨૧ને ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા મુકામે અદ્વૈત આર્ટ્સ કોલેજમાં સંકુલના સંચાલક મનોજભાઈ દવેની અનુમતિથી અને કૉલેજના I/C પ્રિન્સીપાલ ભાવેશભાઇ વાણિયાના માર્ગદર્શન હેઠળ ગીતા જ્યંતિ ઉજવવામાં આવી. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શ્રીમદ્ ભાગવત ગીતા ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું ત્યારે બાદ દીપ પ્રાગટય કરવામાં આવ્યું, સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર વિપુલ વ્યાસ તથા નવીન જોશી દ્વારા શ્લોકોનું પઠન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ ભજન, વક્તવ્ય તથા શ્લોકનુ ગાન કરી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, કોલેજ IC પ્રિન્સિપાલ ભાવેશ વાણિયાએ પ્રસંગ ને અનુરૂપ વ્યાખ્યાન આપ્યું હતું અને સંકલના સંચાલક મનોજ…
Read Moreબોટાદ ખાતે એગ્રી પ્રી-વાઇબ્રન્ટસ ગુજરાત સમિટમાં નેચનલ ફાર્મીંગ અંગેનો નેશનલ કોંન્કેલવ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૦૨૧ અંતર્ગત માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચુયલ ઉપસ્થિતિમાં તાજેતરમાં બોટાદ નગરપાલીકા ટાઉનહોલ ખાતે નેચરલ ફાર્મીંગ અંગેના નેશનલ કોન્કેલવ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગનાં અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષએ જણાવેલ કે નેચરલ ફાર્મીંગ એટલે કે પ્રાકૃતીક ખેતી એ આપણા વડદાદા કરતા હતા અને હવે આપણે આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી તથા માણસની તંદુરસ્તી પર અસર પડેલ છે. જેથી ગુણવતા સભર કૃષિ પેદાશ ઉત્પન્ન કરવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવા…
Read Moreમહીસાગર એઆરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતી જનજાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર લુણાવાડા મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા રોડ સેફ્ટી અંતર્ગત અકસ્માત નિવારણ જનજાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલી લુણાવાડા ચારકોશિયા નાકાથી કોટેજ ચાર રસ્તા સુધી પોસ્ટરો બેનરો સાથે મુખ્ય માર્ગ પર ફરી હતી. જેમાં એઆરટીઓ વિપુલ ગામીત, ઈન્સ્પેકટર જે.ટી.વસાવા, આસી.ઈન્સ્પેકટર એસ.બી.ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ.બી.ખરાડી અને એઆરટીઓ કચેરીના કર્મીઓ, ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા. મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અહેવાલ…
Read Moreગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત
હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ના હોદ્દેદારોની ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં “લડાયક” પેનલના જુદા જુદા હોદા માટે 6 ઉમેદવારો સહિત કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તા. 17/12/2021 નાં રોજ સવારે 11 વાગ્યે મતદાન શરૂ થઈને બપોરના 3 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન થયેલ, મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3.30 વાગ્યે મતગણતરી ચાલુ કરવામાં આવેલ, મતગણતરી ને અંતે પ્રમુખ તરીકે પરેશભાઈ રામાણી – (136 મત), ઉપપ્રમુખ-1 તરીકે એચ.એમ.જાડેજા -(163 મત), ઉપપ્રમુખ-2 તરીકે જે.કે. પારધી-(125 મત) સેક્રેટરી તરીકે ભાવેશભાઈ બી. શીંગાળા-(133 મત), જોઈન્ટ સેક્રેટરી-1 તરીકે વિનયકુમાર બી.…
Read Moreગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એશો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
હિન્દ ન્યુઝ, વેરાવળ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષ જ રહેશે અને ત્યાર બાદ રેન્યુ પણ નહીં થાય તેવા સુધારા કરતા વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમા ઉલ્લેખ ન હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોકરીના હકો ઉપર કોઇને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરું થઈ ગ્યેલ છે. ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિયેશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ
Read Moreલોક આંદોલન – વેરાવળ રોડ ચક્કાજામ
હિન્દ ન્યુઝ, ઉના ઘણા સમય થી વેરાવળ રોડ (ટાવરચોક થી લઈ લામધાર ના પાટિયા સુધી) અતિ બિસ્માર હાલતમાં છે. પરંતુ જવાબદાર અધિકારી દ્વારા રોડ પર માત્ર ધૂળ જ પાથરવામાં આવે છે. જેના કારણે રોડ માત્ર ધૂળ ની ડમરીઓ જ જોવા મળે છે અને રોડ પરથી પસાર થતા લોકો ને ધૂળ ની ડમરીઓ નો સામનો કરવો પડે, આજુ બાજુ ના લોકો ના ઘર અને ધંધાર્થીઓ ધૂળ થી પરેશાન થયા છે. પરંતુ અધિકારીઓ દ્વારા રોડ પર પેચ વર્ક ની જગ્યાએ ધૂળ જ પાથરવામાં આવે છે ત્યારે વેરાવળ રોડ, આંબેડકરની આજુબાજુ માં વસવાટ…
Read More