હિન્દ ન્યુઝ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સરદારધામ ભવનનું વર્ચ્યૂઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન – એકવીસમી સદીમાં ભારત પાસે ગ્લોબલ લીડર તરીકે ઉભરવાનો અવસર, કોરોનાકાળમાં વૈશ્વિક અર્થતંત્ર “ડિફેન્સીવ” નીતિ અપનાવતું હતું ત્યારે આપણે “રિફોર્મ” સાથે આગળ વધ્યા : શ્રી નરેન્દ્રભાઈ મોદી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતીના નામે ચેર સ્થપાશે. કેન્દ્ર સરકારે યુવાનો, ખેડૂતો, વંચિતોના વિકાસ માટે સહકાર વિભાગ રચ્યો. પાટીદાર જ્યાં પણ જાય તેને ભારતનું હિત સર્વોપરી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં યુવાનોમાં કૌશલ્યનિર્માણને પ્રાધાન્ય, નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી “ઉંચેરા માનવી”ને સાચી શ્રદ્ધાજંલી આપી, સરદારધામમાં…
Read MoreDay: September 11, 2021
કાંકરેજ તાલુકાના અરણીવાડ થી ડીસા તાલુકાના બોડાલ ને જોડતો રસ્તો બિસ્માર હાલતમા
હિન્દ ન્યુઝ, કાંકરેજ કાંકરેજ તાલુકાના અરણીવાડ થી ડીસા તાલુકાના બોડાલ ને જોડતો રસ્તો ઘણા સમય થી બિસ્માર હાલતમા જોવા મળેલ તેમજ ઠેરઠેર ખાડા પડી ગયા હતાં ત્યારે હવે સામાન્ય રીતે વરસાદના કારણે મોટાભાગના ખાડા પડતા પાણી ભરાયાં છે જેમાં રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માત થવાની શકયતા વધી છે, વાહન ચાલકો ભયમાં વાહન ચલાવતા જોવા મળ્યા, ત્યાર બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરે અને આ રસ્તા નું સમારકામ કરવામાં આવે તેવી લોકો લાગણી સાથે માંગણી કરી રહ્યા છે કે ચાર વર્ષ જેટલો સમય થયો છે અને…
Read Moreઆપ”ની ધરતીપુત્ર સન્માન યાત્રાનું લાખણીમાં સ્વાગત,”જસરા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, લાખણી આમ આદમી પાર્ટીની ધરતીપુત્ર સન્માન યાત્રા લાખણી ખાતે આવી પહોંચતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ વાજતે ગાજતે ફૂલ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ લાખણીના જસરા ખાતે બુઢેશ્વર મહાદેવના મંદિરમાં સભાનું આયોજન કરાયું હતુ. જસરા ખાતે મળેલી સભામાં આપ ના નેતાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. મોઘવારી, બેરોજગારી, ખેતપેદાશોના નીચા ભાવ, શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના અભાવે આમ જનતાને પડતી મુશ્કેલીઓ બાબતે સત્તા પક્ષ અને વિપક્ષને જવાબદાર ઠેરવ્યા હતા. સભાના અંતમાં બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીનો ખેસ…
Read Moreથરાદ તાલુકા ના લુવાણા (ક) ગામમાં ચમત્કારી શિવલિંગ ની પૂજા
હિન્દ ન્યુઝ, લાખણી થરાદ તાલુકા ના લુવાણા (ક) ગામ ના મારવાડી ચોધરી પટેલ વર્ષો જુના પહેલા ઉકોજી વડીલ અને વાઘાજી ડોકરો સમારપુરીજી બાબજી આ બંન્ને જણ ગંગાજી ગયા અને ત્યાં ગંગાના ઘાટ પર સ્નાન કરતા હતા ત્યારે એમને શિવલિંગ મળી અને આ બંને વ્યક્તિઓએ તેમના ભૂદેવોને પૂછ્યું તો તેમના ભૂદેવોએ કહ્યું કે તમે તમારે ઘરે લઈ જાઓ અને પૂજા પાઠ કરજો ત્યારે ઉકોજી વડીલ અને સમારપુરી બાપજી ભુદેવે આપેલી શિવલિંગ લુવાણા કળશ ગામે લઈ ને આવ્યા. ઉકાજીએ નાનો ઓટલો બનાવીમને તે શિવલિંગને સ્થાપના કરી અને લુવાણા કળશ ગામના મહાન પંડિત…
Read Moreભાવનગર ખાતે યોજાયેલી લોક અદાલતમાં કુલ ૯,૫૮૭ કેસોનો નિવેડો આવ્યો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે નાલ્સા (nalsa) સુપ્રીમ કોર્ટ અને રાજ્ય કાયદા સેવા સત્તામંડળ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર. ટી. વાછાણી સાહેબે દીપ પ્રગટાવી લોક અદાલતનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ભાવનગર જિલ્લા હેડક્વાર્ટરના એપેલેટ તથા સિનિયર અને જુનિયર સિવિલ જજ સાહેબશ્રીઓ તથા સરકારી વકીલઓ તથા તમામ બારના વકીલઓ હાજર રહ્યાં હતાં. આ લોક અદાલતમાં ભાવનગર જિલ્લામાંથી કુલ ૯,૫૮૭ કેસોનો નિવેડો આવ્યો હતો. જેમાં પ્રિલીટીગેશન, રેગ્યુલર લોક અદાલત અને સ્પેશિયલ સીટીંગના કેસોનો સમાવેશ થાય છે અને કુલ રૂપિયા ૪,૦૯,૦૧,૪૫૬/-…
Read Moreપ્રિ-લીટીગેશન કેસમાં સમાધાન અંગેની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી. જેમાં પી.જી.વી.સી.એલ. ખારગેટ તથા ડી.પી.મહેતા એન્જીનીયરીંગ, ભાવનગરનાઓ વચ્ચે પી.જી.વી.સી.એલ. ખારગેટના બાકી લેણા વ્યાજ સહિત રૂા.૩૧,૨૪,૫૨૨ વસુલ લેવાના થતા હતા. તે પૈકી બન્ને પક્ષકારો વચ્ચે રૂા.૧૨,૮૭,૫૯૧/૪૭ માં સુખદ સમાધાન થયું હતું. જે પૈકી ડી.પી.મહેતા એન્જીનીયરીંગ, ભાવનગરનાઓ વતી સુલતાનભાઈ એહમદભાઈ સોલંકી દ્વારા રૂા.૪,૦૦,૦૦૦ નો ચેક આપી તેમજ આગામી સમયમાં રૂ.૮,૮૭,૬૦૦ ના બે હપ્તામાં ભરી આપવા બન્ને પક્ષકારો સંમત થયાં હતાં. ઉપરોકત કાર્યવાહીમાં પી.જી.વી.સી.એલ. રાજકોટ કોર્પોરેટ ઓફિસના કન્ટ્રોલ…
Read Moreછેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લાસમાં તા.૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ને શનિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે સાગબારા તાલુકામાં–૩૭ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-૧૫ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાક પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત્ થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૭૩૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૦૧૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે…
Read Moreથરાદ ખાતે આમ આદમી પાર્ટી નું કાર્યાલય નુ ઓપનિંગ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ ખાતે આમ આદમી પાર્ટી નું કાર્યાલય દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકાયું અર્બુદા કોમ્પ્લેક્ષ માર્કિટ યાર્ડ રોડ પર ધરતીપુત્ર સન્માન યાત્રા બનાસકાંઠા ના સુઈગામ તાલુકા થી નડેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને ચાલુ કરવામો આવી તેમો પ્રદેશ નેતા સાગરભાઈ રબારી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઇ પટેલ, તાલુકા પ્રમુખઓ પદાધિકારીઓ કાર્યકર્તાઓ.ખેડૂત આગેવાનો સહિત વાવ ખાતે સભા યોજવામાં આવી. પ્રદેશ નેતાઓનું પાઘડી પહેરાવી, સાલ ઓઢાડી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે થરાદ તાલુકા આમ આદમી પાર્ટી કાર્યાલય નું ઓપનિંગ પણ કરવામાં આવ્યું અને…
Read Moreસિહોર તાલુકાના ભાણગઢમાં એક જ દિવસમાં ૯૦ ટકા કોવિડ રસીકરણ કરવાની સિદ્ધિ
હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાના ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલારૂપે ભાવનગર જિલ્લામાં અને કોરોના રસીકરણની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે. કોરોનાના પ્રથમ બે તબક્કાઓમાં આપણે કોરોનાની બીમારી શું કરી શકે અને તેના શું ગંભીર પરિણામો આવે તેને પ્રત્યક્ષ નિહાળી ચૂક્યાં છીએ. ત્યારે આવાં જાનલેવા વાયરસથી અગાઉથી જ સાવધાની એ જ સાવચેતીના ન્યાયે જિલ્લાના તમામ લોકો રસીકરણ લઈ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રે કમર કસી છે. જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવરના માર્ગદર્શનમાં…
Read Moreગીર સોમનાથ જીલ્લા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાય
હિન્દ ન્યુઝ, વેરાવળ ગીર સોમનાથ જીલ્લા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાયેલ હતી જેમા નગરપાલિકા ને લગતા કામો જેવા કે જે વોર્ડ મા કોંગ્રેસ કાઉન્સિલર હોય તે વોર્ડમાં નગરપાલિકા પૂરતૂ દયાન ન આપતા હોય તે માટે મીટીંગ આયોજન કરેલ હોય અને પ્રદેશ મા રજૂઆત કરાઇ તેવી સભ્યો એ અને જે તે વોર્ડ ના કાઉન્સિલર દ્વારા ધારાસભ્યો ને રજૂઆત કરેલ મીટીંગ મા ઉપસ્થિત તાલાળા ના ધારાસભ્ય ભગવાન ભાઇ બારડ અને ઉના ના ધારાસભ્ય પૂંજા ભાઈ વંશ અને કોડીનાર ના ધારાસભ્ય મોહન ભાઈ વારા તથા ગીર સોમનાથ જીલ્લા ના કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ…
Read More