સત્તાપક્ષ હોય કે વિરોધ પક્ષ ના નેતાઓ ખેડુતો ની વાત આવે ત્યારે ગાંધારી કેમ બની જાય છે : દશરથસિંહ ગોહિલ તણસા

હિન્દ ન્યુઝ, તણસા કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા ગોહિલવાડ ખેડૂત અગ્રણી નીતણસા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સત્તાપક્ષ હોય કે વિરોધ પક્ષ ના નેતાઓ ખેડુતો ની વાત આવે ત્યારે ગાંધારી કેમ બની જાય છે રાજકારણ અને નેતાઓ નો વિરોધ નહીં પણ રાજકારણ તેમજ તમે ચુટી ને મોકલેલા નેતા ઓ ને જાણો અને સમજો. દિલ્હી ખેડૂત આંદોલન ની વાત કરતા અમુક ખેડૂતો ના દુશ્મનો નેતાઓ ચમચા ઓ ટિવી ડિબેટો મા ઘણી ટિકા ટિપ્પણી કરી રહ્યા છે એ લોકો આ આખો લેખ વાંચવા જેવું છે. રાજકારણ બહુ ગંદુ હોય છે. મને…

Read More

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિતે ડભોઇ ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ડભોઇ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા તેમજ તા ૦૭/૧૦/૨૧ના રોજ નરેન્દ્રભાઈ મોદીના વહીવટપના સુશાસનને ૨૦ વર્ષ પુરા થતા હોવાથી ત્રણ સપ્તાહ સુધી કાયૅકમો યોજાનાર હોઈ ડભોઇ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભા.જ.પા ના આદેશ અનુસાર સેવા અને સમર્પણ કાર્યક્રમ હેઠળ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદરો અને કાર્યકરો દ્વારા ડભોઇના ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અંગેના કાર્યક્રમ હેઠળ ડભોઇ નગરના લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા સમજાવવામાં આવ્યા હતા અને પોતે પણ તમામ હોદ્દેદારો…

Read More

ભાવનગર જિલ્લા જેલ ખાતે બંદીવાનોના સુભિક્ષા પ્લસ પ્રોજેક્ટ હેઠળ એચ.આઇ.વી./ ટી.બી. ટેસ્ટ કરવામાં આવ્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર સામાન્ય નાગરિકોની સાથે જેલના બંદીવાનોને પણ સારું સ્વાસ્થ્ય મળે તે જરૂરી છે. તેના ભાગરૂપે જેલમાં રહેલાં બંદીવાનોની પણ નિયમિત સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૨૦/૦૯/૨૦૨૧ થી તા.૨૨/૦૯/૨૦૨૧ સુધી ભાવનગર જીલ્લા જેલ ખાતે સુભિક્ષા પ્લસ પ્રોજેક્ટ હેઠળ બંદીવાન તથા જેલ સ્ટાફના એચ.આઈ.વી અને ટી.બી. ટેસ્ટ અને હિપેટાઇટીસ બી/સી આર. પી.આર ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી એઇડ્સ (જી.એસ.એન.પી.+) દ્વારા અમલી અને સાથી GFATM સંસ્થા દ્વારા અનુદાનિત, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના તક્નીકી માર્ગદર્શન હેઠળ તેમજ ડૉ. કે.એલ.એન.રાવ, અધિક પોલીસ…

Read More

ગારિયાધાર ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર  અણધારી આપદામાં અને પુર, વાવાઝોડા જેવી કુદરતી હોનારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશેની જાણકારી હોય તો જાનમાલની ખૂવારી અટકાવવાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.  આ બાબતને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભાવનગર તથા એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા સરકારી વિજ્ઞાન કોલેજ, ગારિયાધારના વિદ્યાર્થીઓને હોનારતની સ્થિતિમાં શું કરવું ? બચાવ માટે શું કરવું? તેમજ અન્ય લોકોને તથા જાનમાલના રક્ષણ માટે કેવાં પ્રકારના પગલાં લેવાં તેના વિેશે સમજૂતિ અને જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેની પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે તે માટે વિદ્યાર્થીઓને એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા સ્થળ પર તેમના પોષાક સાથે જે રીતે…

Read More

નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ થકી હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની થઇ રહેલી કામગીરી : મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગો અને તેના ઉપચાર વિશે અપાઇ રહેલી જાણકારી

હિન્દ ન્યુઝ, રાજપીપલા  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં કુલ-૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપેડેમીક મેડિકલ ઓફીસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ જિલ્લામાં ડેન્ગ્યુના-૧૨ અને મેલેરીયાના-૩૨૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે ડેન્ગ્યુના-૨ પોઝિટીવ કેસ નોંધાવા પામ્યાં છે. જિલ્લામાં આજદિન સુધીમાં ડેન્ગ્યુના-૧૫૬ અને…

Read More

રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકની અનુકરણીય પહેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા કોરોનાની સંભવતઃ આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં શહેરી-ગ્રામ્ય વિસ્તારના દરદીઓને સમયસર સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તે માટે CSR પ્રોજેક્ટના ભાગરૂપે રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકના ટીમ લીડર ધર્મેન્દ્ર પ્રજાપતિ, એરીયા મેનેજર અશોક ગોસ્વામીના હસ્તે આજે રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે PPE કિટ્સ-૧૦૦, ફોગીગ પંમ્પ-૧૦, દિવાલ પંખા-૧૦, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર-૦૫, કચરા પેટી-૫૦, ઓસિકા-કવર-૧૦૦, પલ્સ ઓકસીમીટર-૧૦, થર્મોમીટર-૦૫, ઓકસજન માસ્ક-૫૦, ઓકસીજન રેગ્યુલેટર-૦૫ અને હેન્ડ ગ્લોઝ સહિત કુલ-૧૨ જેટલી વિવિધ ઉપયોગી આરોગ્યલક્ષી ઉપકરણોની ભેટ આપી હતી, જેનો સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ સ્વીકાર કર્યો હતો. બેંકના ટીમ…

Read More

ભાભરની ખારી પાલડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

હિન્દ ન્યુઝ, ભાભર ભાભર તાલુકા ના ખારી પાલડી બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિયોદર તાલુકાના સણાવ ગામના માનસુગભાઈ ઠાકોર તેમની પત્ની મંજુબેન ઠાકોર અને પરેશભાઇ ઠાકોર તેમજ એક બાળક આજે વહેલી સવારે મોટરસાયકલ લઈને ભાભર દવાખાને ગયા હતા. ભાભર થી દવાખાને જઈ એમના ઘરે જતા ભાભર સણાવ ખારી પાલડી બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એ ટોળા ઉમટી પડ્યા હતા. મોટરસાયકલ પર સવાર માનસુગભાઇ ઠાકોર નું ઘટના સ્થળે મોત નિપજ્યું જયારે માનસુગભાઇ ની પત્ની મંજુબેન…

Read More

વેરાવળ ખાતે વરસાદી પાણી ના ખાબોચીયા માં મચ્છર ઉત્પન્ન ના થાય, શહેરના નગરજનો નિરોગી રહે એ અંગે ઓઈલ છટકાવ કરાવેલ

હિન્દ ન્યુઝ, વેરાવળ  વેરાવળ ખાતે સવારથી જ ગુલાબનગર, શાહિન કોલોની, બાબા ભાઈ બેકરી વાળા ના ધર પાસે મકદૂમ સ્કુલ તથા આજુબાજુ વરસાદી પાણી ના ખાબોચીયા માં મચ્છર ઉત્પન્ન ના થાય, શહેરના નગરજનો નિરોગી રહે, તેની સતત ચિંતા કરતા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી. જેથી તેઓએ પાણીમાં ઓઈલ નખાવાનું કાર્ય હાથ ધર્યું જેથી મચ્છર ના થાય તેના માટે નગરપાલિકાની ટીમ સાથે રહીને લોક હિતકાર્ય માં કાઉન્સિલોરોને સાથે રહીને દવાનો પણ છટકાવ કરાવે તેવું આદેશ કરેલ, તેમના આદેશથી કોલોનીમાં કાઉંન્સિલર મુસાભાઈ વાકોટ સલીમભાઈ સોડા વાળા, ઓઈલ છટકાવ કરાવેલ છે . રિપોર્ટર : મો. સઈદ…

Read More

નાલસા તથા સાલસા દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ હેઠળ તા. ૦૨ ઓક્ટોબર થી તા. ૧૪ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર નાલસા તથા સાલસા દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ કરવાનું આયોજન કરેલ છે. જે (આઝાદી કા અમૃત મહોત્સવ ) નો ભાગ છે અને તા. ૮/૧૧/૨૦૨૧ થી તા. ૧૪/૧૧/૨૦૨૧ સુધી લીગલ સર્વિસીસ વીક તરીકે મનાવવાનું જાહેર કરેલ છે. ભારત દેશમાં આશરે ૨.૭૫ લાખથી વધારે ગ્રામ પંચાયત છે અને ૬.૭ લાખ જેટલા ગામો છે અને આશરે ૪૧૦૦ જેટલી મ્યુનિસિપલ સંસ્થાઓ છે. ભારતની કુલ વસ્તીના ૭૦ % વસ્તી ગામડાઓમાં રહે છે. જે ગરીબ, અભણ તથા પછાત છે તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે…

Read More

શંકરટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસ વોર્ડ ન 15 માં વિસ્તાર ના લોકો ને ફ્રી માં આયુષમાન (વિમા કવચ) કાર્ડ કાઢી આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના શપતાહિક જન્મદિવસ ઉજવણી નાં ભાગ સ્વરૂપે શંકરટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસ વોર્ડ ન 15 માં વિસ્તાર ના લોકો ને ફ્રી માં આયુષમાન (વિમા કવચ) કાર્ડ ૬૦ પરિવાર ને કાઢી આપવામાં આવ્યું. જેમાં ઉપસ્થીત વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરિયા, મહામંત્રી શંકરભાઈ ખીમસુરિયા, જામનગર શહેર ભાજપ કિશાન મોરચા નાં મંત્રી હસમુખભાઈ પેઢડિયા, શહેર ભાજપ મંત્રી અનસુયાબેન વાઘેલા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ જેન્તીભાઇ ગોહિલ, શૈલેષભાઈ રાઠોડ, પ્રવિણસિંહ જાડેજા, રસીકભાઈ પઠાણ, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં કાર્યાલય મંત્રી આશિષભાઈ પઠાણ, જયભાઈ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ…

Read More