વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનું બી.એસ.સી. કેમિસ્ટ્રીમાં ઝળહળતું પરિણામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની ટી.વાય.બી.એસસી. સેમેસ્ટર-૬ ના જાહેર કરાયેલા પરિણામમાં વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.

કોલેજના ૫૬ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ ૯૦% કરતા વધારે ટકા પ્રાપ્ત કરેલ છે તેમજ કોલેજનું સમગ્ર પરિણામ ૮૬% રહ્યું છે. ચૌહાણ કિરણે ૯૭% સાથે પ્રથમ ક્રમાંક, ડોડીયા પિન્ટુએ ૯૬.૩૬% સાથે દ્વિતીય ક્રમાંક અને ખાનપરા નિરાલીએ ૯૫.૪૫% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. આમ સર્વાધિક ગુણાંક પ્રાપ્ત કરી સરકારી કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ અગ્ર રહ્યાં છે.

વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા બદલ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા.બી.છગ તેમજ કેમેસ્ટ્રી વિષયના વડા ડૉ. ધનંજય.કે. પંડયા, મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મમતા એચ. ચૌહાણ તથા સચિન એમ. સીતાપરાએ અભિનંદન પાઠવ્યાં હતાં.


Advt.

 

 

 

Related posts

Leave a Comment