શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે તાલીમ યોજાઈ 

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદ ખાતે શનિવારે બીઆરસી ભવન, આણંદ ખાતે શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે વાહનચાલકો/આચાર્ય/શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. 

આ તાલીમમાં આર.ટી‌.ઓ.કચેરી, આણંદના સાવનભાઈ પટેલએ પરિવહન અંગે જાગૃતતા, સાવચેતીના પગલાં, વાહનના જરૂરી દસ્તાવેજ અને દંડની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ ઉપરાંત સાવનભાઈ પટેલે પરિવહન, રોડ સેફટી અને સ્વીપ કાર્યક્રમ અન્વયે મતદાન જાગૃતિ અંગેના શપથ હાજર તમામને લેવડાવ્યા હતા. 

આ કાર્યક્રમમાં  શિક્ષણ વિભાગના બી.આર.સી કો-ઓર્ડીનેટર જલદિપભાઈ પટેલ, કલ્પનાબેન પળાલિયા, મીનલબેન પારેખ  તથા શાળાના શિક્ષકો અને વાહન ચાલકો હાજર રહ્યા હતા.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment