હિન્દ ન્યુઝ, ડાંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, “જળ ભવન” આહવા (ડાંગ) ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરી પરિસરને તિરંગાના રંગોથી શણગારવા સાથે રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મિલપાડા પ્રાથમિક શાળાના બાળકો તથા માજીરપાડાન બાળકો, વાલીઓ, અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી તેમને તિરંગા સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોને…
Read MoreMonth: August 2026
ચોમાસામાં ડાંગ બન્યું કુદરતનું સ્વર્ગ: ગિરમાળ ધોધ અને યુ-ટર્ન પોઈન્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ
હિન્દ ન્યુઝ, ડાંગ ચોમાસાની ચાલુ સિઝનમાં ડાંગ જિલ્લો સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ચારેય તરફ પથરાયેલી પ્રાકૃતિક હરિયાળી, ખળખળ વહેતા ઝરણાં અને ભવ્ય ધોધને કારણે સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને સિંગાણા નજીક આવેલો વિશ્વવિખ્યાત ગિરમાળ ધોધ અને યુ-ટર્ન (U-Shape) વિસ્તાર વરસાદ બાદ અત્યંત રમણીય અને મનોહર બની ગયા છે, જેને નિહાળવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવી રહેલા પ્રવાસીઓની સલામતી અને સુવિધા અંગે ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર તથા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં…
Read Moreબાવકા શિવ મંદિર : દાહોદની ઐતિહાસિક અને શિલ્પકલાની અમૂલ્ય ધરોહર
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યની સાથે સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો જિલ્લો છે. આ ધરોહરમાં બાવકા ખાતે આવેલું પ્રાચીન શિવમંદિર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દાહોદ શહેરથી આશરે ૧૪ કિલોમીટર દૂર બાવકા અને ચાંદાવાડા ગામ વચ્ચે હિરલાવ તળાવ નજીકની ટેકરી પર આવેલું આ મંદિર પ્રાચીન સ્થાપત્ય અને અદભૂત શિલ્પકલાનું અનોખું ઉદાહરણ છે. સોલંકીકાળની સ્થાપત્ય પરંપરાની ઝલક બાવકા શિવમંદિરને સામાન્ય રીતે સોલંકીકાળ સાથે સંકળાયેલું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. મંદિરના સ્થાપત્યમાં નાગર તથા મારુ-ગુર્જર શૈલીની વિશિષ્ટતાઓ જોવા મળે છે. પથ્થરો પર કરવામાં આવેલી ઝીણવટભરી કોતરણી તે સમયના…
Read More🇮🇳 અવિસ્મરણીય અમરેલી! 🇮🇳
હિન્દ ન્યુઝ, અમરેલી સ્વાતંત્ર્ય પર્વે સંસ્કૃતિ, સાહસ અને શૌર્યનો અદ્ભુત સંગમ! ✨ અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૫મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીમાં દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ અને ગુજરાત પોલીસના સાહસ-શૌર્યપૂર્ણ પ્રદર્શને ઉપસ્થિત જનમેદનીને રોમાંચિત કરી દીધી. 🎶 ‘મારું અમરેલી’ થીમ પર વિદ્યાસભાના વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતે અમરેલીની સ્થાનિક અસ્મિતા અને ગૌરવને ઉજાગર કર્યું. 🎺 ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડ — અંબાજીના શ્રી શક્તિ સેવા કેન્દ્રની આદિવાસી દીકરીઓના શિસ્તબદ્ધ વાદન અને અદ્ભુત તાલમેલે સૌને મંત્રમુગ્ધ કર્યા. 🇮🇳 ‘સ્વાતંત્ર્ય પર્વ’ થીમ આધારિત મલ્ટીમીડિયા પ્રસ્તુતિએ રાષ્ટ્રભક્તિની લાગણીને વધુ પ્રબળ બનાવી. 💪 પોલીસ દળના સાહસ-શૌર્યની…
Read Moreસ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને સુખસર ખાતે યોજાયેલ 80 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પાવન અવસરે દાહોદ જિલ્લામાં શિક્ષણ, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી તથા શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલ. દામા તથા શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ આર. ભોંકણનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને અધિકારીઓએ દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર કામગીરી અને શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રમત ગમત…
Read Moreયુવાનોને “જ્યોતિ જલા નિજ પ્રાણ કી”વિભાજન કી વિભીષિક પર લખાયેલ પુસ્તક વાંચવા અનુરોધ કરતા – લોકસભા સાંસદ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર દેશના વિભાજન સમયે લાખો નાગરિકોએ વેઠેલી અસહ્ય પીડા, માનસિક આઘાત અને અકાળે થયેલા વિસ્થાપનની કરુણ સ્મૃતિઓને યાદ કરી વિસ્થાપિતોના અપ્રતિમ ત્યાગ, અડગ મનોબળ અને સંઘર્ષને શ્રદ્ધાંજલિ આપવા માટે છોટાઉદેપુરમાં આંબેડકર ભવન ખાતે વિશેષ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ-૨૦૨૬’ની સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન યુવા પેઢી વિભાજનની કરુણ વાસ્તવિકતાઓથી માહિતગાર થાય અને તેમનામાં દેશભક્તિ તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદૃઢ બને તેવા શુભ આશયથી વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિભાજનની યાતનાઓમાંથી પસાર થયેલા લોકોના બલિદાન અને શૌર્યને નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ‘વિભાજન વિભીષિકા…
Read More“80માં સ્વતંત્રતા દિવસની સ્વર્ણિમ પ્રભાત”
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારત રાષ્ટ્રની આઝાદીના મહાપર્વ 80મા “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર સહભાગી થઈ દેશી આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભારત માતાના અમર સપૂતોની સ્મૃતિને સ્મરણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી આઝાદીનો આ ઉત્સવ આપણે દેશભક્તિના ભાવથી ઓતપ્રોત થવાની પ્રેરણા આપે છે !!
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી બન્યા
હિન્દ ન્યુઝ, અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી થઈ, ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવીને ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા વર્ણવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે વિરાસતથી વિકાસનો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાનએ લાલ કિલ્લા પરથી 2047ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપી છે, ત્યારે ગુજરાત વડાપ્રધાનના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે તેવો…
Read Moreશંખેશ્વરની પાવન ધરતી પર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી
હિન્દ ન્યુઝ, પાટણ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી; વિકાસના સંકલ્પ સાથે પાટણને વિકસિત જિલ્લો બનાવવાનું આહવાન “ખેડૂત સમૃદ્ધ બને, યુવાનોને રોજગાર મળે અને દરેક પરિવાર સુધી વિકાસ પહોંચે એ જ વિકસિત પાટણની નેમ” : પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે શંખેશ્વર તાલુકાના વિકાસકાર્યો માટે ₹૨૫ લાખની સહાયનો ચેક અર્પણ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મયોગીઓ સાથે માહિતી કચેરીના ફોટોગ્રાફર સંજય પરમાર અને વિડિયોગ્રાફર જલ્પેશ પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
Read Moreજૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળીયા હાટીના ખાતે ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માળીયા હાટીના ખાતે ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા સમારંભમાં ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે સરકારી કામગીરી, પ્રજાલક્ષી સેવાઓ, આરોગ્ય, શિક્ષણ તથા રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સરાહનીય યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થનાર કર્મયોગીઓમાં ડીસાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચ (કલેક્ટર કચેરી, જૂનાગઢ) ના ડીપીઓ કર્તુ એસ. ત્રિવેદી, માંગરોળ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી યુ.…
Read More