હિન્દ ન્યુઝ, દાહોદ Bભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ નું વ્યાપક આયોજન કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન-2026 હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો…
Read MoreMonth: August 2026
‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત ડાંગમાં યોજાયો ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અને ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંગ ઝાલા તેમજ જિલ્લા પોલીસ વડા સુ પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય અને ગર્વ લેવા જેવી પ્રગતિ કરી રહી છે. વર્તમાન…
Read Moreછોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૧માં ભરતી થયેલા ૩૦ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવવાના આદેશો અપાયા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.પરમાર તેમજ કચેરીના અધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓનું અમલીકરણ, શાળા સલામતી, વોકેશનલ અભ્યાસક્રમ, પરિણામ સુધારણા અને શિષ્યવૃત્તિ જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહાનુભાવોના હસ્તે ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં વર્ષ ૨૦૨૧માં ભરતી થયેલા ૩૦ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવવાના હુકમ (આદેશ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યઓ, શિક્ષણ સહાયકો શિષ્યવૃત્તિને લગતી કામગીરી સાથે જોડાયેલા…
Read Moreકોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો; ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા 2 પેરા ખેલાડીઓની ઉપસ્થિતિ ઉલ્લેખનીય છે કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી ધ્વજ ગુજરાતમાં જ રહેશે-કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓને પ્રેરણા આપશે.
Read Moreતા.૧૫મી ઓગષ્ટ સુરત જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુરતના આંગણે થનાર છે જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે ૧૫ મી ઑગસ્ટ એટલે કે ૮૦મા સ્વતંત્રતા દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુરત મનપાના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાશે. રાષ્ટ્રીય પર્વની ગૌરવપુર્ણરીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય…
Read More‘મન કી બાત’થી લાલ કિલ્લાના મંચ સુધી
હિન્દ ન્યુઝ, સુરત તા. 15મી ઓગસ્ટે દિલ્હીમાં ‘વિશેષ અતિથિ’ બનશે ગુજરાતની સોલર ગર્લ પાયલ મુંજપરા ‘નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ; વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રમાં સોલર પીવી ટેક્નિશિયન તરીકેની તાલીમ પૂર્ણ કરીને આજે તેઓ સોલર પેનલ ઈન્સ્ટોલેશન, ફિટિંગ, વાયરિંગ અને મેઈન્ટેનન્સ જેવા જટિલ ટેક્નિકલ કાર્યોમાં નિપુણતા ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 132મા એપિસોડમાં પાયલના આ સમર્પિત કાર્યની નોંધ લીધી હતી અને તેને ગ્રામીણ ભારતની યુવતીઓ માટે એક આદર્શ ઉદાહરણ ગણાવી હતી. તા. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય સમારોહ માટે વિશેષ આમંત્રણ મળ્યું છે,…
Read MoreVNSGU ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ
હિન્દ ન્યુઝ, સુરત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અનુભવી સંપાદકોના માર્ગદર્શન હેઠળ ફિલ્ડ રિપોર્ટિંગ, ન્યૂઝ રાઇટિંગ, મીડિયા એથિક્સ, ડિજિટલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયોમાં વ્યવહારુ અને પ્રાયોગિક તાલીમ પૂરી પાડવાનો છે. એક વર્ષીય કોર્સ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો રહેશે. જેમાં ધો૧૦ કે ધો.૧૨ પાસ સાથે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. તેમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં રહેશે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને…
Read Moreભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’: પંચાયતોના વાર્ષિક ઑડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત
હિન્દ ન્યુઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સૂચના આપી છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે તા.28/07/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે. નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં જ…
Read Moreકલેક્ટર રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગ્રામ પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત કરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં વહીવટી પારદર્શિતા વધારવા અને ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓનું સઘન મોનિટરિંગ કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગ્રામ પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી પંચાયત રેકોર્ડ અને મહેસૂલી કામગીરીની વિગતો ચકાસી હતી અને ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની રજૂઆતો અને પ્રાથમિક સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. આ ઉપરાંત, કલેક્ટરએ સ્થાનિક આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે બેઠક યોજી બાળકોના પોષણ સ્તર, સ્વાસ્થ્ય સેવાઓ અને પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા…
Read Moreવાસણ વિદ્યામંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતન અર્થે આયોજિત પ્રકૃતિ પૂજન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામની વાસણ વિદ્યામંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતન અર્થે આયોજિત પ્રકૃતિ પૂજન કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે અને ગાંધીનગર વિધાનસભા (ઉત્તર) ના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ 151 જેટલા છોડનું નારાયણ ઉપનિષદનું પારાયણ કરીને વિધિવત પૂજન કર્યું હતું. આ પૂજિત રોપાઓને વિદ્યાર્થીઓ શાળા, પોતાના ઘરના આંગણે, ખેતરમાં કે ગામમાં વાવશે અને 100 દિવસ સુધી તેની સામે બેસીને નારાયણ ઉપનિષદ બોલવા સાથે જલાભિષેક કરીને તેનું જતન કરશે.
Read More