હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરાશે; આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી મેળવવાનું સરળ બનાવશે. એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO)ને સશક્ત બનાવશે, ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા…
Read MoreDay: February 19, 2026
જૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીને લાગતુ માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી-જુદી સેવાઓ મેળવી શકે છે. જિલ્લા રોજગાર કચેરી-જુનાગઢ દ્વારા જિલ્લાનાં યુવાઓ કચેરીના લાભોનો મહતમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ-શક્તિ નાણાંનો વ્યય અટકાવાનાં આશયથી જિલ્લાની શાળા-કોલેજો-ઔધોગીક સંસ્થાઓમા નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અન્વયે ગ્રામ પંચાયત હાઈસ્કૂલ –બીલખા ખાતે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.…
Read Moreવલસાડના વાંકલમાં ૩૧ ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તો ઉમટ્યા
હિન્દ ન્યુઝ, વલસાડ ક્યાંક દીવાલો પર ડમરું સાથેના મહાદેવ અન્ય દેવ-દેવતાના ચિત્રો,રસ્તાની બંને બાજુ પ્રગટેલા ધુણા પર ભભૂતી લગાવી શિવનું નામ જપતા બ્રાહ્મણો અને હરિહરના નાદ સાથે જલારામ બાપાની તસવીર સામે ચાલતી ભોજનની અવિરત સેવામાં રુદ્રાક્ષ શિવલિંગ વધુ ઘેરુ બની રહ્યું હતું. મહાશિવરાત્રિએ વિશેષ યજ્ઞ-પૂજાનું આયોજન કરાયું ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રુદ્રાક્ષથી બનેલા શિવલિંગમાં ૧૦૮ કુંવારીકાઓનું પૂજન,૨૫ થી વધુ બોટલ રક્ત ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી આઈ કેમ્પમાં ૨૦૦થી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. ૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકેલા…
Read Moreત્રિવેણી કાર્યક્રમ યોજાયો સમૂહ લગ્નોત્સવ, ટિફિન સેવા રથ અનાવરણ, મંદિર નિર્માણ તથા મૂર્તિ પ્રેમ પ્રતિષ્ઠા
હિન્દ ન્યુઝ, વલસાડ સંત- શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા તથા શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર આયોજિત તથા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ – યુ.કે.તથા લાઇન્સ કલબ ઓફ કિંગ્સબરી- યુ.કે. સ્વ તુલસીદાસ ગોરધનદાસ કોટેચા- યુ.કે., સ્વ.મોહનલાલ અને વિજયાબેન કોટેચા – પોરબંદર, સ્વ અમૃતલાલ અને સુશીલાબેન રાડીયા -યુ.કે.ના સૌજન્યથી ૧૨૨ દિકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ વલસાડના આંગણે યોજાયો હતો. શિવરાત્રીના પાવન દિવસે મંગલવિધિ વડીલોની છત્રછાયામાં તથા સંતોના આશીર્વચનો સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ આચાર્ય વિદ્વાન ગુલાબભાઈ પટેલ, ધરમપુર તથા શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર -વલસાડ દ્વારા મંત્રોચ્ચાર કરી…
Read More