હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૪૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલામાં તાલુકામાં ૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેમાં અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો, તાલાલામાં ૫૯, ઉનામાં ૫૮, કોડિનારમાં ૫૫, સુત્રાપાડામાં ૫૩, વેરાવળ-પાટણમાં ૩૦ અને ગીર ગઢડામાં ૨૭ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૪૭ મી.મી. વરસાદ પડ્યો છે.
Read MoreMonth: June 2025
જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ગર્ભ પરિક્ષણ પર તંત્ર તવાઇ લાવશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત એ વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે. પરંતુ સ્ત્રી-પુરુષના જાતિ ગુણોત્તરમાં ક્યાંક-ક્યાંક અસમાનતા જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આ ગુણોત્તર વચ્ચેની ખાઇ વધતી જાય છે. સમાજમાં દિકરાઓ માટેનું વધુ મહત્વ અને દિકરીને બોજ સમાજવાની સામાજિક માનસિકતાને કારણે દિકરા અને દિકરીઓનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે. નવા શોધાયેલા મેડિકલના ઉપકરણો ખાસ કરીને સોનોગ્રાફી જેવા મશીનોને કારણે ગર્ભમાં જ દિકરો છે કે દિકરી તે જાણવાની ઉત્કંઠાને કારણે પણ ગર્ભપાતનું પ્રમાણ પણ વધ્યું છે. ક્યાંક લેભાગુ ડોક્ટરોની પૈસા કમાવવાની લાલચાને કારણે…
Read Moreસોમનાથની આજુબાજુ પિકનિક મનાવવાના પાંચ ઉત્તમ સ્થળો
“ઈન્ટરનેશનલ પિકનિક ડે” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દર વર્ષે ૧૮મી જૂનના દિવસે ‘આંતરરાષ્ટ્રીય પિકનિક ડે’ ઉજવવામાં આવે છે. વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય કાઢી અને દોસ્તો અને પરિવારજનો સાથે ઉત્તમ પળો પસાર કરી શકાય એ માટે ૧૮મી જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય પિકનિક ડે’ની ઉજવણી કરવામાં આવે છે. પિકનિક શબ્દ મૂળ ફ્રેંચમાંથી આવ્યો છે. ટૂ પેક-એટલે કે ભોજન અને નેક-એટલે કે હળવું. આ બન્ને શબ્દને જોડીને શબ્દ બન્યો છે પિકનિક. વર્ષ ૧૭૪૮માં ‘પિકનિક’ શબ્દ અંગ્રેજીમાં પ્રચલિત થયો. વર્ષ ૧૮૪૬માં થોમસ કોલે ‘અ પિકનિક’ નામનું સુંદર દ્રશ્ય દોરેલું. જેમાં નદીની પાસે…
Read Moreપ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ વૃક્ષારોપણ કરાયું હતું તેમજ શાળાઓ હરિયાળી બને એ માટે શાળાઓને ૧૦૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરાયું હતું. આ બેઠકમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવના આયોજન તેમજ અન્ય શાળાકીય પ્રવૃત્તિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદની દુર્ઘટનામાં સદગત્ ના આત્માની શાંતિ માટે ૨ મિનિટનું મૌન પાળી અને તમામ શિક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ, બી.આર.સી વેરાવળ દ્વારા…
Read Moreઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના નિલ અરવિંદભાઇ ખૂટનું દુઃખદ અવસાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-૫ પેસેન્જર હતા.જે પૈકી ૩(ત્રણ) પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા. જેઓનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ત્રણ મૃતકો પૈકી જરગલી ગામના નીલ અરવિંદભાઇ ખુટનું અમદાવાદ ખાતે થયેલાં દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકનું બોડી…
Read Moreભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા.17/06/25 ના બપોરે ૧ કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. ૧૭ જૂનના રોજ બપોરે એક કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા,…
Read Moreપાલીતાણા તાલુકાના ત્રણ ગામોમાંથી ૩૧ લોકોને રેસ્ક્યુ કરાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ગઈકાલે રાત્રે પાલીતાણા તાલુકાના કુલ ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થયેલ હતી જેમાં કુલ ૩૧ જેટલા લોકોને તંત્ર દ્વારા સહી સલામત રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી 1 વ્યક્તિ એકદમ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ હતા. આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદાર, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી તેમજ આકોલાળી ગામે પી.આઈ. રૂરલ પો.સ્ટે.…
Read Moreપાલિતાણાની શેત્રુજી ડેમ 80% ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનો જળસ્તર વધતા આજે ૧૭/૬/૨૫ ના રોજ બપોરે ૧-૨ વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે. આથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજા ના ૧૨ ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે.
Read Moreઆંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫’: એક પૃથ્વી – એક સ્વાસ્થ્ય માટે યોગ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઈણાજ વી.સી.હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ગ્રામ્યસ્તરથી લઈ શહેરી સ્તર સુધી યોગ દિવસની ઉજવણી સુનિયોજીત રીતે થાય તે અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યાં હતાં. કલેક્ટરએ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થાય અને તમામના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ જણાવ્યું હતું કે, આ…
Read Moreકર્ણાટક રાજ્ય નાં હુબલી એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક – રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઇ તોગડીયા નું ભવ્ય સ્વાગત
હિન્દ ન્યુઝ, હુબલી (કર્ણાટક) તા. ૧૬- ૦૬- ૨૦૨૫ નાં રોજ કર્ણાટક રાજ્યનાં હુબલી શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં કાર્યકર્તાઓનું મહા સંમેલન બેઠક કાર્યક્રમ યોજાયો. જેમાં સૌ પ્રથમ હુબલી એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક – રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઇ તોગડીયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ બેઠક માં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. બાદ “જય શ્રીરામ” નાં ઘોષ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની બેઠક કાર્યક્રમ શરૂ કરવામાં આવી. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ,…
Read More