હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વચ્છતા અભિયાન હેઠળ ઠેર ઠેર સાફસફાઈ થઈ રહી છે. ‘સ્વચ્છતા હી સેવા ’ અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સફાઈમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા સહિત નગરજનો જોડાયાં હતાં. આ સફાઈ અભિયાનમાં કોડિનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ ડોડિયા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા શહેરના ફિશ માર્કેટ રોડની રાત્રીના સમયે સફાઈ કરવા આવી હતી. આ સફાઈ અભિયાન દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ…
Read MoreMonth: September 2024
વિકાસશીલ ભારતમાં યુવાનોનું બહુવિધ યોગદાન વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર મલ્ટીડીસીપ્લીનરી નેશનલ કોન્ફરન્સ ઓન રોલ ઓફ યુથ ઈન ડેવલોપીંગ ઈન્ડીયા વિષયે ભાવનગરની નંદકુરવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં સભાખંડમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદીનાં અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી સંલગ્ન જે. કે. સરવૈયા કોલેજ અને માતૃશ્રી નંદકુવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત યુવાઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણ માટે યુવાઓની ભૂમિકા આવશ્યક છે સાથે ઉચ્ચ શિક્ષણ થકી આજનો યુવાન રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપી…
Read Moreનૃત્ય-રાસની કલા પ્રસ્તુતિ સાથે “નર્તનને નમન નવ ગજના” પુસ્તક વિમોચનો સમારોહ સંપન્ન
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ભાવનગરનાં શીશુ વિહાર કલાવૃંદ દ્વારા જગદીશભાઇ પંડ્યા સંપાદિત્ત “નર્તનને નમન નવ ગજના” પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ગુજરાતના વિવિધ પ્રાંતોનાં નૃત્યો- રાસની કલા પ્રસ્તુતિ સાથે યોજાયો હતો. પુસ્તક વિમોચન પ્રસંગના અધ્યક્ષ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો. (ડૉ.) ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત કલાના સાધકોને સંબોધતા જણાવ્યુ હતુ કે જગદીશભાઇ દ્વારા સંપાદિત પુસ્તક કલા સાધકો માટે ઉપયોગી જ્ઞાનનો પૂંજ બની રહેશે. ઉંમર-અનુભવ અને વિવેકુબધ્ધિથી થયેલ નિર્ણયો સારૂ ફળ આપનારા હોય છે. કવિ-લેખક-સર્જક નિરૂપાયેલ સાહિત્ય વારસો અને શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય,…
Read Moreयुवा सजगता और सावधानी से स्मार्ट फोन का उपयोग करें : जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार कला, संस्कृति एवं युवा विभाग तथा जिला प्रशासन, वैशाली के संयुक्त तत्वावधान में आयोजित 28 वां जिला स्तरीय युवा उत्सव- 2024 का आज विधिवत उद्घाटन राज नारायण सिंह महाविद्यालय, हाजीपुर में किया गया । कार्यक्रम का दीप प्रज्वलित कर विधिवत उद्घाटन जिला पदाधिकारी यशपाल सिंह मीणा और पुलिस अधीक्षक हर किशोर राय द्वारा किया गया।सर्वप्रथम आगत अतिथियों का स्वागत जिला कला एवं संस्कृति पदाधिकारी ने किया। इस अवसर पर जिला पदाधिकारी, वैशाली ने कहा कि बिहार सरकार का कला, संस्कृति एवं युवा विभाग युवाओं को…
Read Moreઆણંદ જિલ્લાના ઓરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો ફ્રી યુથ અવેરનેસ કેમ્પેઈન યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ ભરાત સરકાર દ્વારા તા.૨૨ નવેમ્બર સુધી ટોબેકો ફ્રી યુથ એવરનેસ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લામાં યુવાનોને તમાકુની આડઅસરને સમજાવીને વ્યસન મુક્તિના સઘન પ્રયાસ જિલ્લા વિકાસ અધિકારી મીલીંદ બાપનાના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દિપક પરમાર દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન અંતર્ગત યુવાઓને લક્ષ્ય રાખીને જાગૃતિ કેળવવા ૧૦ જેટલી ચિત્રસ્પર્ધા, ૪ જેટલી નિબંધ સ્પર્ધા, ૬ જેટલી રેલી,૧ વક્રૃત્વ સ્પર્ધા, ૬ જેટલી શિબિર, ૧૪ જેટલી જૂથચર્ચા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. આ…
Read Moreઆણંદ ખાતે બાગાયત અધિકારીઓની પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય, હાલોલ દ્વારા એટીક બિલ્ડીંગ, આણંદ કેમ્પ, આણંદ ખાતે બાગાયત અધિકારીઓની પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી સરકારી વિભાગો તેમજ લોકભાગીદારી સાથે થઈ રહેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડિયા દ્વારા પ્રાકૃતિક ખેતીની મુહિમને ખૂબ પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન મળી રહયું છે. આ માર્ગદર્શન થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ…
Read Moreઆણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં પોષણની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા
હિન્દ ન્યુઝ, આણંદ રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકામાં શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગના સંકલનથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકસાથે કુલ – ૫ શાળાઓ ભાગ લીધેલ. જે તમામ શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં દરેક શાળાના બાળકોમાં પોષણની જાગૃતિ માટે પ્રવૃત્તિઓ/સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓ અને કિશોર માટે એનિમિયા (HB ટેસ્ટ) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોલિક એસિડ ટેબ્લેટ વિતરણ કરવામાં આવી હતી. કિશોરીઓ અને કિશોર માટે પોષણ શિક્ષણ, રમકડાં આધારિત…
Read Moreપોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ પોષણમાસ – ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારી ઘટક ૨ ના માલતીબેન પઢિયારનાં માર્ગદર્શન હેઠળ ઝારોલા પી.એચ.સી ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં શાળાએ જતી ૪૨ જેટલી કિશોરીઓનું એચ.બી ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીડીપીઓ માલતીબેન એમ પઢિયાર, મેડીકલ ઓફિસર, સુપરવાઈઝર, પી.એસ.સી. આઈ.સી.ડી.એસ ઘટક ૨, કાર્યકર બહેનો તેમજ કિશોરીઓ હાજરી આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય વિષયક પોષણ, એનેમિયા અને બાળલગ્ન વિષે સમજ તેમજ વધુ અભ્યાસ અર્થે આઈ.ટી.આઈમાં પુનઃપ્રવેશ કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા…
Read Moreઆણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં કન્ટેનરને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોએ બોરીયાવી ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ. ખેત પેદાશોના નિકાસ પ્રસંગે નાયબ બાગયત નિયામકની કચેરી તથા ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો -ઓપરેટીવ સોસાયટી લિ.ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા પ્રવીણ ચૌધરીએ ઓર્ગેનિક પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી. વધુમાં તેમણે ઓર્ગેનિક ખેતપેદાશોનુ ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ પ્રાકૃતિક ખેતપેદાશોમાંથી બનાવવામાં આવેલ…
Read More“તમાકુની આદતને નકારો, સ્વસ્થ જીવન જીવો“
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય તથા એપિડેમિક મેડીકલ ઓફિસર ડૉ.દિવ્યેશ ગૌસ્વામીની સૂચનાથી તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦નો વેરાવળની ચોકસી કોલેજ ખાતેથી શુભારંભ કરાયો હતો. તમાકુના ઉપયોગને ઘટાડવા અને તેની હાનિકારક અસરોને દૂર કરવા માટે કોલેજીયન યુવાનોને સોશ્યિલ વર્કર જીતેન્દ્ર.જે.રતનઘાયરા દ્વારા વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં અને તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં જિલ્લામાં ૬૦ જેટલી તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થા(TOFEI), ૨૦ જેટલા તમાકુ- સ્મોક ફ્રી વિલેજ, ૧૬…
Read More