આણંદ ખાતે બાગાયત અધિકારીઓની પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

   ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય, હાલોલ દ્વારા એટીક બિલ્ડીંગ, આણંદ કેમ્પ, આણંદ ખાતે બાગાયત અધિકારીઓની પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ હતી.

વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી સરકારી વિભાગો તેમજ લોકભાગીદારી સાથે થઈ રહેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડિયા દ્વારા પ્રાકૃતિક ખેતીની મુહિમને ખૂબ પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન મળી રહયું છે.

 આ માર્ગદર્શન થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય, હાલોલ યુનિવર્સિટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારીઓની એક દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી. એન. થોરાત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સંયુક્ત બાગાયત નિયામક વિભાગીય કચેરી જે. એમ. તુવારે પણ પ્રાસંગિક વકતવ્ય આપી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિનું સૌથી સફળ અને ખેડૂતો માટે પારસમણી એવા પંચસ્તરીય બાગાયતી મોડેલ જેમાં સહજીવી પાકની વૈજ્ઞાનિક સમજ સફળ ખેડૂત નારસંગભાઈ મોરીએ આપી હતી.

સંશોધન નિયામક ડો. વી. પી. ઉસદડીયા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન, વાપ્સા અને પિયત વ્યવસ્થાપન વિષે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નાયબ બાગાયત નિયામક સર્વેઓ પંચમહાલ, અમદાવાદ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ આણંદ સહીત ૪૧ જેટલા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment