હિન્દ ન્યુઝ, પાટણ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઈજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ એ.પી.એમ.સી. ખાતે પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાસંદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આ દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે કૃષિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી…
Read MoreMonth: December 2021
સુશાસનના દિનના ચોથા દિવસે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માર્કેટયાર્ડ ખેડબ્રહ્મા ખાતે મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્રો, હુકમો તથા રાજ્ય-જિલ્લાકક્ષાના પ્રગતિશીલ ખેડૂતોને ટ્રોફી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા રૂ. ૨૫ લાખની સહાય
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા રાજય સરકાર દ્વારા તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન રાજયના ૩૩ જિલ્લાઓમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ લોકસભાના સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન ખેતીવાડી બાગાયત, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારની વાડ સહાય મળીને અંદાજે રૂ. ૨૫ લાખની સહાય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું…
Read Moreસાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલ ખેલ મહોત્સવમાં સ્ટેડિયમના ખેલાડીઓ દ્વારા નવા રેકોર્ડ ત્રણ ખેલાડીઓએ ૧૨ જેટલા સુવર્ણચંદ્રક મેળવ્યા
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે તા. ૨૨ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન ત્રિ-દિવસીય આંતર કોલેજ ખેલ મહોત્સવ યોજાયો. આ ખેલ મહોત્સવમાં ૧૨૭ કોલેજના ૧૨૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ ખેલ મહોત્સવમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમના ૩ ખેલાડીઓ દ્વારા ખુબ જ પ્રસંશનિય પ્રદર્શન કરી ૧૨ સુવર્ણ પદક મેળવી જિલ્લાનુ નામ રોશન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિકરીઓ દ્રારા નવા રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં નિરમા અસારીએ ૨૦૦ મીટર, લાંબો કુદકો, ત્રીપલ જંપમાં યુનિવર્સીટીના તમામ જુના રેકોર્ડ્સ તોડી ત્રણ સુવર્ણચંદ્રકો પોતાના નામે કર્યા હતા અને…
Read Moreપાટણ એ.પી.એમ.સી.ના ઑડિટોરીયમ હૉલ ખાતે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના વિવિધ ૦૭ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે
હિન્દ ન્યુઝ, પાટણ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૨૯ ડિસેમ્બરના રોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના કુલ રૂ.૧૩૭.૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ ૦૭ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ રૂ.૭૦ લાખના ખર્ચે હારીજ માર્કેટયાર્ડ રોડને પહોળો કરવાની કામગીરીનું ખાતમૂર્હૂત પણ કરવામાં આવશે. પાટણ એ.પી.એમ.સી.ના ઑડિટોરીયમ હૉલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના રૂ.૮૫૩.૪૬ લાખના ખર્ચે બનેલા મણીયારી-મીઠીઘારિયાલ રોડ પર આવેલા પુષ્પાવતી નદી પરના બ્રીજ, રૂ.૫,૦૧૫ લાખના ખર્ચે ચારમાર્ગીયકરણ કરવામાં…
Read Moreબોટાદ ખાતે તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લાના ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી ઘડતરની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થાય તેવા હેતુસર રોજગાર ભરતીમેળા કાર્યક્રમનું સંકલ્પ થી સિધ્ધી અભિગમ અન્વયે ૧૦૦ દિવસના લક્ષ્યાંક નિર્ધારિત કરી નવતર અભિગમ અપનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. પ્રસ્તુત અભિગમ હેઠળ હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીઓના લાભાર્થીઓને મળેલ યોજનાકીય સહાય તેમજ નવીનતમ પ્રકલ્પોના શુભારંભ હેતુસર જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહ કાર્યક્રમનું આયોજન તા. ૩૦/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા કેમ્પસ, બોટાદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષતામા…
Read Moreમહેસાણા માર્કેટ યાર્ડ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહના ભાગ રૂપે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, મહેસાણા સુશાસન સપ્તાહની ઉજવણીના અવસરે મહેસાણાના માર્કેટ યાર્ડ ખાતે કૃષિ દિવસની ઉજવણી પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ભારતરત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની કેન્દ્ર અને રાજ્ય સરકાર “સુશાસન દિવસ” તરીકે દર વર્ષે ઉજવણી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે પણ કમરકસી છે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકેલી છે. વધુમાં ઉમેર્યું હતું કે, કુદરતી આફતોને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને આર્થિક નુકસાની સામે સરકારે વળતર ચુકવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
Read Moreસાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્રારા કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે સજ્જ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે તેમજ ખાસ કરીને કોરોના જેવી મહામારીના સમયે આરોગ્ય વિભાગ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાની જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્ય વિભાગે સતત ૨૪ કલાક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં કોરોના રસીકરણ અંગે જનજાગૃતિ માટે પણ સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો થી અત્યાર સુધીમાં ૧૮ વર્ષના ૯૨.૨૨ ટકા નાગરીકોને પહેલો ડોઝ અને ૯૫.૧૮ ટ્કા નાગરિકોને કોરોના રસીના બંન્ને ડોઝથી સુરક્ષિત કરાયા છે. સાબરકાંઠાના ૬૩૮ ગામોની સંપૂર્ણ કોરોના…
Read Moreશ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ધરમપુર શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા એ ભગવાન મહાવીરનો માનવજાતને સંદેશ: રાજ્ય સરકારે ‘અહિંસા પરમો ધર્મ’ને અનુસરી ગૌવંશ વધ પર પ્રતિબંધનો કાયદો ઘડી તેનો કડક અમલ કરાવ્યો છે ધરમપૂર તીર્થક્ષેત્રમાં મંદિરની દિવ્યતા અને ભગવાનની ભવ્યતાની સાક્ષાત અનુભૂતિ થઇ રહી છે ‘જીવસેવા અને માનવસેવા’ સમાજમાં સૌના જીવનનો ભાગ બને તેવું પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીના હસ્તે શ્રીમદ્દ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત…
Read Moreસુશાસન સપ્તાહ અંતર્ગત કૃષિ કલ્યાણ દિવસ ની ઉજવણી માણસા ખાતે કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરાઇ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સુશાસન સપ્તાહ અંતર્ગત ’કૃષિ કલ્યાણ દિવસ’ની ઉજવણી માણસા ખાતે કરવામાં આવી હતી. કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાની સાધન- સહાય આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને રાજય કૃષિ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાન મંત્રી અટલબિહારી બાજપાઇના જન્મ દિવસ તા. ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે સમગ્ર રાજયમાં ઉજવવામાં આવે છે. સતત રાસાયણિક ખાતરો અને દવાનો…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- યોગ-પ્રાણાયામ કાર્યકમ
હિન્દ ન્યુઝ, અમદાવાદ સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહીછે જેના ભાગરૂપે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2021 દરમિયાન “નદી મહોત્સવ” ઉજવવાનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ-પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હળવી કસરત, પ્રાણાયામ, સૂર્ય…
Read More