હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.૨૨/૦૭/૨૦૧૪ ના ઠરાવ અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરવા બાબતે સરકારશ્રી દ્વારા તા.૧૩/૧૦/૨૦૨૦ થી નવી જોગવાઈઓ ઠરાવવામાં આવેલ છે. “માં અન્નપુર્ણા” યોજનામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલિત વાજબી ભાવની દુકાનેથી ઘઉં, ચોખા અને આવશ્યક ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. જે યોજનામાં કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ૪ પૈડાંનું વાહન કે યાત્રિક માછીમારીની બોટ ધારણ કરતું હોય, કુંટુંબનો કોઈ પણ…
Read MoreDay: August 14, 2021
ઉના પોલીસ દ્વારા ઉના શહેરમાં આવનારા તહેવારો ને લઈને ફ્લેગ માર્ચ કરવામાં આવ
હિન્દ ન્યુઝ, ઉના ઉના પોલીસ દ્વારા આવનારા સમયમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના એક સાથે તહેવારો આવતા હોય જેમકે સાતમ આઠમ, મોહરમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોને ધ્યાને લઇને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોમાં ભાઈચારાની ભાવનાથી એકબીજા પોત પોતાનો તહેવારો શાંતિમય માહોલમાં મનાવે કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ અનુલક્ષીને આજે ઉના શહેર ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઉનાના પી.આઇ વી.એમ.ચૌધરી, પી.એસ.આઇ જે.વી ચુડાસમા અને પોલીસ જવાનો આ ફ્લેગમાર્ચ માં જોડાયા હતા. રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના
Read More