હિન્દ ન્યુઝ, રાજપીપલા અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય અભેસિંહ તડવી, સુનીલભાઈ ગામિત, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી સહિતના સભ્યોએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર રિસોર્ટના સભાખંડ ખાતે વાવડી સીએનજી સ્ટેશનની મુલાકાત સંદર્ભે યોજાયેલી બેઠકમાં સીએનજી સ્ટેશન અંગે ગુજરાત ગેસ લિમિટેડના એચ. આર. મેનેજર ભરત સિંહ ચાવડા તેમજ નીતિનભાઈ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી જાણકારી આપી હતી. ઉક્ત બેઠકમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સીએનજી સ્ટેશન નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યુ…
Read MoreDay: August 26, 2021
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગે “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ભાવનગર જીલ્લામાં “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કાર્યક્રમ તા.૨૮/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના ખ્યાતનામ કલાકારો જેમાં રાજેશ્રીબેન પરમાર, શ્યામભાઈ મકવાણા, રધુવીર કુંચાલા, વિશ્વા કુંચાલા દ્વારા શ્રી ઝવેરચંદ…
Read Moreકિસાન સભા તરફથી રેલી કાઢી મુખ્ય મંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદનપત્ર
હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લા ના સંતરામપુર મુકામે ભારત નો સામ્યવાદી પક્ષ (સીપીઅેમ) અને કિસાન સભા તરફથી રેલી કાઢી મુખ્ય મંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સીજનનો 25 ટકા વરસાદ થયો હોય મહિસાગર જિલ્લાને અછતગસ્ત જાહેર કરો, રાહત કામો ચાલુ કરો, દરેકને કોરોના મહામારી પછી બેરોજગારી વધી છે તેથી 7500 (સાડા સાત હજાર) સહાય આપવામાં આવે, ખેડૂતો ના દેવા માફ કરો, પોલીસ પટેલ ને ફરીથી બહાલ કરો, 15 વર્ષો જુના વાહનો ને ભંગાર ગણવાનો કાયદો પાછા ખેંચો વગેરે આ સાથેના આવેદનપત્રમાં આપેલી માગણી ઓ…
Read More