રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગે “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ભાવનગર જીલ્લામાં “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કાર્યક્રમ તા.૨૮/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે.

આ કાર્યક્રમમાં ભાવનગરના ખ્યાતનામ કલાકારો જેમાં રાજેશ્રીબેન પરમાર, શ્યામભાઈ મકવાણા, રધુવીર કુંચાલા, વિશ્વા કુંચાલા દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની રજૂઆત કરાશે.

ભાવનગરની લોકપ્રિય જનતાને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સરકારના કોવિડ-૧૯ ની ગાઈડ લાઇન મુજબ કાર્યક્રમ થનાર હોય જેથી માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment