હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર રાજવી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા દિવાળી નિમિતે આજરોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પત્રકાર મિત્રો સાથે નૂતન વર્ષાઅભિનંદન માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા ગ્રામ પંચાયત કચેરી અંગે ની જરૂરી માહિતી આપવામાં આવી હતી અને તમામ પત્રકાર મિત્રો ને દિવાળી નિમિતે શુભેચ્છા પાઠવામાં આવી હતી તેમજ દરેક પત્રકારો મિત્રો ને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર નટુભાઈ ચૌહાણ, અશોકભાઈ શેઠ, દિનેશભાઈ કોઠારી, અરવિંદભાઈ હાલાણી, બળદેવભાઈ જોષી વગેરે દિયોદર ના મીડિયા ક્રમી ઓ હાજર રહ્યા હતા અને…
Read MoreDay: November 13, 2020
રાજકોટ શહેરનાં રામનાથપરા માંથી ૪૮ બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લેતી D.C.B પોલીસ
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટીમે રામનાથપરા મકબરા શેરી.૧ ઓરડીમાં દરોડો પાડી ત્યાંથી દારૂની ૪૮ બોટલ મળી આવતા બુટલેગર સિકંદર ઉર્ફે કબુ ઇકબાલભાઇ નોતિયાર ઉ.૩૫ ની ધરપકડ કરી. ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.૧૯.૨૦૦ નો દારૂ કબ્જે કર્યો હતો. D.C.B પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.સાખરા, ધિરેનભાઈ માલકીયા, ઉમેશભાઈ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, હિરેનભાઈ સોલંકી, સંજયભાઈ ચાવડા, દિપકભાઈ ડાંગર, મહેશભાઈ મંઢ, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, કિરીટસિંહ ઝાલા, કામગીરી કરેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાંથી કુખ્યાત હિસ્ટ્રીશીટર, ૨ ચોરાઉ વાહન સાથે ઝડપાયા
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને તેમની ટીમે જંગલેશ્વર મેઈન રોડ ઉપરથી ૨ શખ્સોને એક્ટિવા અને ઈંટરનો સાથે સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં જંગલેશ્વરમાં રહેતો રોહિત મોહનભાઇ ચાંડપા ઉ.૨૬ રહે. જંગલેશ્વર શેરી.૩૫ રાજકોટ. અને મૂળ પંજાબ ચંદીગઢનો અને હાલ કોઠારીયા રોડ ઉપર રાધાકૃષ્ણનગરમાં રહેતો ગોવિંદસિંગ ઉર્ફે ગોપી દિલીપસિંગ માન ઉ.૨૨ હોવાનું જણાવતા M.C.R ચેક કરતા રોહિત અગાઉ હત્યાની કોશિષ, ચોરી, દારૂ સહીત પ ગુનાઓમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઈ.ગુજકોપ આધારે વાહનની ચકાસણી કરતા બંને વાહનો ચોરીના હોવાનું જાણવા…
Read Moreરાજકોટ શહેરના રેસકોર્સમાં યુવતીઓ સામે ખરાબ ઈશારા કરતા ૨ નબીરાઓ ઝડપાયા
હિન્દ ન્યુઝ, રાજકોટ તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રેસકોર્સ બગીચામાં હરવા-ફરવા અને બેસવા આવતા કપ્પલ અને યુવતીઓ સામે અમુક ઈસમો જોઈને ખરાબ ઈશારા કરતા હોય તેમજ ન સંભળાય તેવો શબ્દ પ્રયોગ કરતા હોવાની ફરિયાદ આધારે D.C.B P.S.I એચ.બી.ધાંધલ્યા અને તેમની ટિમ તથા હેડ ક્વાટરના મહિલા લોકરક્ષક દ્વારા ડિકોય યોજી વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બહુમાળી ભવન ચોકમાં લવગાર્ડનમાં જાળી પાસે ૨ શખ્સો રાત્રીના ૧૧ વાગ્યે યુવતીઓને જોઈ બીભત્સ ઈશારા કરતા હોય તેમજ ખરાબ ન સંભળાય તેવી વાતો કરતા હોવાથી તેઓને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં બંને પોપટપરામાં રહેતો નયન ગોવિંદભાઇ…
Read Moreવિજયનગર પાસે આવેલ પોળૉ મા આવતાં ફોર વ્હીલર ને કલેકટર ના આદેશ થી નો એન્ટ્રી
હિન્દ ન્યૂઝ, ઇડર સાબરકાંઠા ના વિજયનગર પાસે આવેલ પોળૉ મા આવતાં ફોર વ્હીલર ને કલેકટર ના આદેશ થી નો એન્ટ્રી આપવામાં આવી છે. જ્યારે આસપાસના સ્થાનિક ને એન્ટ્રી આપવામા આવી છે. જે આજ રોજ થી લગભગ બે માસ સુધી નો આદેશ કરવામા આવ્યો છે. બહાર થી આવતાં પ્રવાસીઓ માટે પાર્કિંગ ની વ્યવસ્થા કરી છે. જેથી પ્રવાસી ને કોઈ હાલાકી નહીં પડે તથા મહામારી ને પણ નાથી શકાય. હાલ માં સતત વધતા કેસો ને લીધે આવો નિર્ણય લેવામા આવ્યો છે. રિપોર્ટર : હસન અલી મોમીન ગણેશપુરા
Read Moreવેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેરાવળ શહેરીજનો વેપારીવર્ગ ફીસ ઉધોગ તેમજ સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રી લોકો માટે રેલવે સુવિધા પુન સ્થાપિત કરવા રેલવે તંત્ર ને આવેદનપત્ર આપવામાં આવેલ
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ દુનિયાભરમાં ફાટી નીકળે કોવિડ ૧૯ ની મહામારી બાદ ભારત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર દેશમાં રેલવે સેવા સદંતર બંધ કરી દેવામાં આવેલ હતી. હાલમાં સરકાર તરફથી અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા અને લોકોની પરિસ્થિતિ અનુકૂળ ધણી બાબતો જેમકે વેપાર રોજગાર ઉધોગો સ્કુલો ચુંટણી પ્રક્રિયા લગ્ન પ્રસંગ ધાર્મિક ક્રિયામા છુટછાટ આપી છે ત્યારે તેમાં વધારે મદદરૂપ થવા દેશભરને જોડતી સસ્તી સારી અને વ્યાપક પ્રમાણમાં દેશ આખા મા ફેલાયેલી રેલવે સેવા જે હાલમાં ધણા ક્ષેત્રમાં પુનઃ ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા હંમેશા માટે આ વિસ્તાર સાથે…
Read Moreસોમનાથ મંદિર નો આજે 74′ મો સંકલ્પ દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ આવેલ, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈએ સરદાર નું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓએ સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણના સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કરેલ. આજરોજ આ સંકલ્પને ૭૩ વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધાર ના સંકલ્પને નિહાળવા જીવિત ના રહ્યાં પણ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર ની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે. આજરોજ શ્રી સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ…
Read Moreભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ માનસીંગ ભાઈ પરમાર બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું અને સાથો સાથ માનસીંગભાઈ પરમાર ખુબ આગળ વઘે અને ભારતીય જનતા પાટી ને વઘુ મા વઘુ મજબુત કરે અને આપણા દેશ ના યશશ્વી પ્રઘાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એ દેશ મા વિકાસ ની ગાથા ની શરૂઆત કરી છે એને ખુબ મજબુતી મળે એવી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રંસેગે વેરાવળ સમસ્ત હાડિ સમાજ અઘ્યક્ષ નોટરી એડવોકેટ અમુતાબેન અખીયા તથા વેરાવળ હાડિ સમાજ…
Read Moreભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ માનસીંગ ભાઈ પરમાર બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું અને સાથો સાથ માનસીંગભાઈ પરમાર ખુબ આગળ વઘે અને ભારતીય જનતા પાટી ને વઘુ મા વઘુ મજબુત કરે અને આપણા દેશ ના યશશ્વી પ્રઘાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એ દેશ મા વિકાસ ની ગાથા ની શરૂઆત કરી છે એને ખુબ મજબુતી મળે એવી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રંસેગે વેરાવળ સમસ્ત હાડિ સમાજ અઘ્યક્ષ નોટરી એડવોકેટ અમુતાબેન અખીયા તથા વેરાવળ હાડિ સમાજ…
Read More