લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

દાહોદ, તા. ૧૦ : દાહોદ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવામાં આવી રહ્યો છે. આ માટે દાહોદ જિલ્લામાં ટુ વ્હીલર વાહન ઉપર એક થી વધુ વ્યક્તિના પ્રવાસ પર પ્રતિબંઘ હોવા છતાં ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં આવશ્યક વસ્તુની ખરીદી માટેના છૂટછાટના સમય દરમ્યાન આ છુટનો દુરઉપયોગ કરવામાં આવે છે અને લોકો અનાવશ્યક મુસાફરી કરતા જોવા મળે છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંઘ ફરમાવ્યો છે. આવશ્યક વસ્તુઓની ખરીદી માટે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર…

Read More