બોટાદ જિલ્લા મહિલા સહાયતા કેન્દ્ર, PBSC અને 181 અભ્યમ ટીમની સફળ કામગીરી

હિન્દ ન્યુઝ, બોટાદ              બોટાદ જિલ્લામાં PBSC અને 181 મહિલા અભ્યમ ટીમની સંયુક્ત કામગીરીથી મહિલા અરજદારને તેની 3 વર્ષની બાળકી સાથે ફરી મિલન કરાવવામાં સફળતા મળી છે. સાથે જ લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ દંપતી વચ્ચે સુખદ સમાધાન પણ કરાવવામાં આવ્યું છે.              જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તૈરેયા અને જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મંસૂરીના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. એક મહિના પહેલા ઘરેલુ હિંસાથી પીડિત મહિલા બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવેલા PBSC સેન્ટર પર…

Read More

કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. ની ટીમ એમ્બ્યુલન્સ વાન સહિત ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આર.બી.એસ.કે. ની ટીમ દ્વારા નવજાત શિશુ થી લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની દરકાર કરવામાં આવે છે. આજે વાત કરવી છે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસુંબાડ ગામના હીનાબેન અલ્પેશભાઈ પઢીયારની. જેમને ત્યાં નવજાત શિશુનો જન્મ પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. હીનાબેને બાળકને જન્મ આપ્યો હતો, બાળકના જન્મની સાથે જ તેને કમરના…

Read More

મેદસ્વિતાથી બચવા / નિયંત્રણમાં લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, મોરબી      આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી મેદસ્વિતાથી બચી શકાય છે કે તેને નિયંત્રણમાં લાવી શકાય છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ અભ્યાસ ખૂબ જ પ્રભાવકારી છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન છે. યોગીક જીવનશૈલી, યોગા અભ્યાસ અને સંતુલિત આહારવિહાર કોઈપણ નકારાત્મક અસર વગર શારીરિક ચયાપચય અને હોર્મોન્સસ્ત્રાવને…

Read More

મેદસ્વિતાનું સરળ અને અસરકારક નિવારણ – તંદુરસ્ત જીવન તરફ એક પગલું!

હિન્દ ન્યુઝ, રાજકોટ     આધુનિક જીવનશૈલીને કારણે મેદસ્વિતા વૈશ્વિક ચિંતાનો વિષય બની રહી છે. આ સમસ્યા માટે અસંતુલિત આહાર, બેઠાડું જીવનશૈલી, આનુવંશિકતા અને હોર્મોનલ ફેરફારો જેવા અનેક પરિબળો જવાબદાર છે. મેદસ્વિતા માત્ર શારીરિક દેખાવને જ નહીં, પણ સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે. સ્થૂળતા ઓછી ન કરવામાં આવે તો તે શારીરિક અને માનસિક અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આથી, ગુજરાત સરકાર ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન થકી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવતને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ તથા મેદસ્વિતાના નિયંત્રણ માટે પ્રેરિત કરી રહી છે. ત્યારે મેદસ્વિતાના…

Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા તા. ૦૨ સપ્ટેમ્બરથી તા. ૧૨ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરાયું છે.   જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મવડી અને રાજીવ ગાંધી પ્રાથમિક શાળાના સહયોગથી ગત તા. ૦૫ સપ્ટેમ્બરને શુક્રવારે સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટીવ હેલ્થ વિષય આધારિત કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી કેન્દ્રની કામગીરી સમજાવવી, વજન-ઊંચાઈનું માપન કરવું, સેનેટરી પેડ વિતરણ કરવા અને રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે…

Read More

તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

Lહિન્દ ન્યુઝ, આણંદ    સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ ૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે,ખંભાતમાં એસ.જી. વાઘેલા હાઇસ્કુલ ખાતે, પેટલાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે, તારાપુરમાં એસ.જે. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે, બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે, આંકલાવના…

Read More

ભાવનગરમાં SGFI રાજ્યકક્ષાની અં-૧૪ અને ૧૭ ભાઈઓની બેઝબોલ સ્પર્ધા સરદાર પટેલ રમત સંકૂલ ખાતે તા.૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્યકક્ષાની અં-૧૪ અને અં-૧૭ ભાઈઓની બેઝબોલ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૧/૦૯/૨૦૨૫ થી ૨૪/૦૯/૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં જિલ્લાની ભાગ લેનાર ટીમોની એન્ટ્રી dso-sycd-bvncity@gujarat.gov.in પર તા.૧૮/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલવાની રહેશે.  રાજયકક્ષા શાળાકીય બેઝબોલ સ્પર્ધાનાં કાર્યક્રમ મુજબ અંડર-૧૭ ભાઇઓ માટે રિપોર્ટિંગ તા.૨૧/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સ્પર્ધા યોજાશે. અંડર-૧૪ ભાઇઓ માટે રિપોર્ટિંગ તા.૨૩/૦૯/૨૦૨૫…

Read More

જામનગરમાં મહિલાઓ અને કિશોરીઓ માટે મિશન શક્તિ અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકારના ‘મિશન શક્તિ’ યોજના હેઠળ, મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવા જામનગરમાં દસ દિવસીય વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઉજવણીના ભાગરૂપે ગત તા.2 સપ્ટેમ્બરના રોજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન’ અંતર્ગત એક મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારી શ્રી ડો. પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોજાયો હતો. આ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત…

Read More

પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,     Bનેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.       ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી તપાસ કરાવવી જોઈએ, વ્યસન મુક્ત બનવું જોઈ, ટીબી ની દવા લેતા દર્દી એ નિયમિત દવા લેવી જોઈએ, દરેક સરકારી દવાખાને ટીબી મફત તાપસ કરવામાં આવે છે અને મફત સારવાર પણ આપવામાં આવે છે તેનો લાભ લેવો જોઈએ અને ભારત સરકાર દ્વારા ટીબીના…

Read More

ગુજરાત યોગ બોર્ડનાં યોગ ક્લાસ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યાં

હિન્દ ન્યુઝ, બોટાદ                યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. મેદસ્વિતા પર કાબૂ મેળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે ગુજરાત યોગ બોર્ડનાં યોગ ક્લાસ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યાં છે.            પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી શરૂ થયેલી યોગદિનની પરંપરાએ આજે દરેક જિલ્લામાં યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવી દીધો છે. એ જ કડીમાં બોટાદના યોગ ક્લાસમાં પણ અનેક યોગ સાધકો દરરોજ તંદુરસ્તીનો સંદેશ ફેલાવી રહ્યાં છે.          બોટાદ…

Read More