દિયોદર,
દિયોદર ખાતે થોડા સમય અગાઉ પ્રાંત કચેરી ખાતે અનેક અધિકારી ની બદલી કરવામાં આવી હતી. જેમાં દિયોદર માં શિરસ્તેદાર તરીકે ચૌધરી તેજાભાઈ એ ચાર્જ સાંભળતા પ્રાંત કચેરી ખાતે આજ રોજ દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા તેમનું શાલ અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, દીપેશભાઈ સેવક, મહેશભાઈ, સીકે.શાહ, શીતળભાઈ, ભરત ભાઈ અખાણી, સહિત સભ્યો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર