દિયોદર પોલીસ મથક ખાતે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દિયોદર, હિન્દ ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના વજેગઢ ગામ ની એક પરણિત મહિલા નું અપહરણ કરી સુરત ખાતે લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે જે અંગે દિયોદર પોલીસ મથક ખાતે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. લાખણી તાલુકા ના વજેગઢ ગામે રહેતી એક 23 વર્ષ ની પરણિત મહિલા તેની દીકરી સાથે દિયોદર ના સરદારપુરા ગામે પરિવારજનો ને મળવા આવી હતી જેમાં તારીખ 11/8/2020 ના રોજ સરદારપુરા ગામે થી શેરગઢ જવા નીકળી હતી જેમાં દિયોદર ના સોની ગામે સાધન ની રાહ જોઈ ઉભી હતી, ત્યારે શેરગઢ ગામે રહેતો પરબતજી હમીરજી ઠાકોર તથા પ્રધાનજી હમીરજી ઠાકોર અને મોતી મેવાભાઈ રબારી ત્રણ ઈસમો અલગ અલગ બાઇક લઈ સોની ગામે આવ્યા હતા.

જ્યાં આ મહિલા પાસે બાઇક રોકી મહિલા ને શેરગઢ ગામે ઉતારી દેવાનું કહી બાઇક માં બેસાડી હતી. જેમાં બાઇક પર બેસાડ્યા બાદ મહિલા ને ધમકી આપી, ડીસા એસ ટી ડેપા પાસે લઈ ગયા હતા અને મહિલા ને ત્યાં થી પરબતજી ઠાકોર બસ માં સુરત ખાતે લઈ જઈ પાંચ દિવસ સુધી ગોંધી રાખી મહિલા ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને વાત કોઈ ને કહીશ તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં મહિલા ના પરિવારજનો ત્યાં આવી આરોપી ના ચુંગાલમાંથી મહિલા ને છોડાવી હતી અને મહિલા સમગ્ર હકીકત પરિવારજનો ને જણાવતા પરિવારજનો એ દિયોદર પોલીસ મથક ખાતે મહિલા ને લાવી મહિલા એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે (૧)પરબતજી હમીરજી ઠાકોર (૨)પ્રધાનજી હમીરજી ઠાકોર (૩) મોતી મેવાભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે અપહરણ અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધી આરોપી ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment