સુરત જીલ્લાના માગરોળ, મોસાલી ચારરસ્તા ખાતે મારુતિ સુઝુકી ડીલર કટારીયા ઓટોમોબાઇલ્સનો સેલ્સ અને સર્વિસ શો રૂમ શરૂ થશે

સુરત,

ભારત ભરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ કંપની ટોટલ ૧૯૦૦ સેલ્સ શોરૂમ અને ૩૩૦૦ સર્વિસ નેટવર્ક ની વિશાળ શૃંખલા ધરાવે છે. જેમાં મારુતિ સુઝુકી ની યશ કલગીમાં એક નવીન મોરપીંછ શોરૂમ સુરત જીલ્લા ના માંગરોળ તાલુકા ના મોસાલી ચાર રસ્તા ખાતે ગ્રાહકોને ઘરઆંગણે સારી સેવા મળી રહે એ હેતુ સાથે આગામી તા.૧૪ મી ઓગસ્ટ ના શુક્રવારે સવારે ૧૦:૦૦ કલાકે વનમંત્રી ગણપતસિંહ વેસ્તાભાઇ વસાવાનાં (ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ) શુભ હસ્તે શોરૂમ ખુલ્લો મુકવામાં આવશે. આ અત્યાધુનિક શોરૂમમાં આપને મારુતિસુઝુકી ના દરેક મોડલ હાજર સ્ટોક માં ઉપલબ્ધ મળી રહેશે.

તદઉપરાંત સર્વિસ, મારુતિ ઈનસ્યુરન્સ, મારુતિ જીન્યુન એસેસરીઝ પાટૅસ વગેરે જેવી વેલ્યુએડેડ સેવાઓનો લાભ મોસાલી ચાર રસ્તા ખાતે મળી રહેશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment