ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

       ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪થી તેમને મળેલ અધિકારની રૂએ આ હુકમ કર્યો છે. લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો અમલ કમિશનર, મહાનગરપાલિકા, ભાવનગર, મુખ્ય કારોબારી અધિકારી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, ભાવનગર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર, નિર્દિષ્ટ અધિકારી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ- અલંગ, સંબંધિત ચીફ ઓફીસર, નગરપાલિકાઓ તથા સંબંધિત પોલીસ થાણાનાં અધિકારીઓએ કરાવવાનો રહેશે.

સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજા થશે.


Advt.

 

 

 

 

Related posts

Leave a Comment