હિન્દ ન્યુઝ, રાધનપુર
સાંતલપુર ખાતે આવેલ ખીમેશ્વરી ગૌશાળા ખાતે ગૌશાળા ની અંદર રાપર ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા લમ્પી વાયરસની રસી આપવામાં આવી
પાટણજિલ્લા સાંતલપુર ખાતે આવેલ ગૌશાળા ખાતે ગૌશાળામાં રહેલી કેટલીક ગાયોને અત્યારે ચાલતો રોગચાળો
લમ્પી વાયરસ ને લઇ ને રસી આપવામાં આવી. રાપર ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા ખીમેશ્વરી ગૌશાળા ના મહંતશ્રીના કહેવા મુજબ સાંતલપુર ખાતે ગૌશાળા ની અંદર જે ગૌમાતાઓ લમ્પી વાયરસ નો શિકાર બની છે તેવી ગાયોને રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ વધુ ગાયો ની અંદર વાયરસ નો શિકાર ન બને તેને ધ્યાનમાં રાખીને ખાસ રસીકરણ કરવામાં આવ્યું ગૌભક્તો દ્વારા સાતલપુર ખાતે આવેલી ગૌશાળા ખાતે ગૌમાતા ને આપવામાં આવી રસી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર