હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે આવેલ લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે અને દત્તાત્રેય આશ્રમ ખાતે બંને મંદિરોની અંદર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટ્યા હતા. બંને મંદિર એ ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો સીનાડ ગામ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મેળો ભરાતા ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મેળો માણવા અને દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામ ખાતે મેળો ભરાયો જેમાં રાધનપુર વિસ્તાર તેમજ ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર