હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરશ્રીઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા ₹15 લાખથી વધારીને ₹1 કરોડ, કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે 1 હેક્ટર…
Read MoreDay: July 28, 2026
મોરબીમાં એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સતત મહેનત અને સેલ્ફ સ્ટડી કરવા પ્રોત્સાહિત કર્યા પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી માટે ટાઇમ-ટેબલ અને ન્યૂઝ પેપરના નિયમિત વાંચન પર ભાર મુકાયો
Read More‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત મોરબીમાં યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી દીકરીઓએ જિલ્લા કલેક્ટર સાથે સીધો સંવાદ કર્યો હતો. કલેક્ટર સ્વપ્નિલ ખરે એ દીકરીઓને લક્ષ્ય નિર્ધારિત કરી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું સ્કૂલ-કોલેજની દીકરીઓએ જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ વહીવટી તંત્રની કામગીરી અને યોજનાઓના અમલીકરણ વિશે માહિતી મેળવી
Read Moreભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે બારખાંઘ્યા પુલ તથા વઘઈ–સાપુતારા માર્ગની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી. બારખાંઘ્યા પુલ પાસે થયેલા ધોવાણ અને વઘઈ–સાપુતારા માર્ગ પર લેન્ડસ્લાઇડિંગ થયેલા સ્થળોનું નિરીક્ષણ કરી માર્ગ-મકાન વિભાગ સહિત સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવા સૂચના આપી. સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી તકેદારી રાખવા પણ તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું.
Read Moreઝાંખર ગામે યોજાયેલા ‘એન્ટી-સરા કેમ્પ’માં ૧૦૫ ઊંટોનું પરીક્ષણ કરી વિનામૂલ્યે સારવાર અપાઈ
હિન્દ ન્યુઝ, ઝાંખર પશુચિકિત્સા દવાખાનું લાલપુર દ્વારા ઝાંખર ગામે ઊંટોમાં થતા ગંભીર રોગોના અટકાયત અને યોગ્ય સારવારના અર્થે ‘એન્ટી-સરા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગામના ઊંટ પાલકોના કુલ ૧૦૫ ઊંટોનું પશુચિકિત્સકોની ટીમ દ્વારા ઝીણવટપૂર્વક શારીરિક પરીક્ષણ કરી જરૂરી રસીકરણ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સરા નિવારણ કેમ્પ અંતર્ગત ઊંટોમાં જોવા મળતા અત્યંત ગંભીર એવા ટ્રિપેનોસોમિયાસિસ રોગ સામે પ્રતિબંધાત્મક સારવાર આપવા સાથે ત્વચાના રોગો તેમજ અન્ય શારીરિક તકલીફોથી પીડાતા ઊંટોની યોગ્ય સારવાર કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુચિકિત્સકો દ્વારા ઊંટ પાલકોને પોતાના…
Read More