કલેકટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 🔸જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ તંત્ર સંપૂર્ણ સજ્જ  🔸 8.25 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 🔸 1010 મતદાન મથકો પર મતદાન થશે. 🔸 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત તથા કેશોદ અને બાંટવા(પેટા ચૂંટણી) નગરપાલિકાની બેઠકો માટે ચૂંટણી 🙏 લોકશાહી મજબૂત બનાવો — મતદાન અવશ્ય કરો!

Read More

આગામી તા. ૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકા/ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર

હિન્દ ન્યુઝ, વલસાડ      આગામી તા. ૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકા/ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને વિષયવાર કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે હેતુસર ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સુપેરે પાર પડે તે માટે અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી. 

Read More

આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 હિન્દ ન્યુઝ, આણંદ     111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા થયા બાદ આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ને ગુરૂવારના રોજ મતદાન થનાર છે, ત્યારે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી જાહેર થયા તા.15-03-2026 ના રોજથી આદર્શ આચાર સંહિતા અમલી બની છે, ત્યારે કોઈપણ નાગરિકોએ/મતદારોએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવી હોય તો જાગૃત નગરજનો હવે C-vigil એપ દ્વારા ફરિયાદ ઓનલાઈન કરી શકે છે. આ ઉપરાંત આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર પણ કરી શકાય છે.કલેકટર કચેરી…

Read More

ઉમરેઠ તાલુકામાં યોજાયું મતદાતા જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ     111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે આગમ હાઈસ્કૂલ, ઉમરેઠ અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, ઉમરેઠ ખાતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ રેડી ટુ વોટ,…

Read More

મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે

હિન્દ ન્યુઝ, આણંદ       111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે એપીક કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદારોએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ મતદાન મથકે પોતાની ઓળખ માટે રજૂ કરવાનું હોય છે. જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ ન કરી શકે તો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ભારતના ચૂંટણી પંચ…

Read More

મુખ્ય નિર્વાચન અધિકારીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નોડલ અધિકારીઓની કામગીરીની સમિક્ષા કરી

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેએ આજે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ ચુંટણીલક્ષી કામગીરીઓ માટે નિમવામાં આવેલા મેન પાવર મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઈઝેશન, સાયબર સિક્યુરિટી, સ્વીપ, EVM મેનેજમેન્ટ, MCC, એક્સપેન્ડિચર મોનિટરિંગ, બેલેટ પેપર, પોસ્ટલ બેલેટ, મીડિયા અને સોશિયલ મીડિયા તેમજ પીડબ્લ્યુડી સહિતના વિવિધ નોડલ અધિકારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમરેઠ વિધાનસભાની પેટા…

Read More

ભાવનગર જિલ્લામાં કાનૂની સહાયને વેગ: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને મલ્ટીપર્પઝ વ્હીકલ ફાળવાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાનૂની સેવાઓને વધુ અસરકારક અને લોકો સુધી સુલભ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે મલ્ટીપર્પઝ વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ અને નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીના કાર્યકારી અધ્યક્ષ જસ્ટીસ વિક્રમનાથ, તેમજ ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિશ્રીઓની ઉપસ્થિતિ રહી હતી. આ યોજના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રિક્ટ…

Read More

ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ દ્વારા પ્રજાના પૈસાથી થતાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.  જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે. ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) થી મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે. જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડીંગ્સ, માસ મીડીયા, વર્તમાનપત્રો, ટી.વી. ચેનલોમાં…

Read More

ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ અંગેનું જાહેરનામું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.  જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે. ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.મનીષ કુમાર બંસલે ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯પ૧ની કલમ-૩૭(૧)(એફ)થી મને મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં, (૧) કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને…

Read More

જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોનો બગાડ થતો અટકાવવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ હિન્દ ન્યુઝ, ભાવનગર       રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.  જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે. ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) થી મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.  જેમાં, (૧) સરકારી કે સ્થાનિક સ્વરાજયની…

Read More