લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: ૩૮ સ્વ-સહાય જૂથોને ₹૯૫ લાખનું ધિરાણ મંજૂર

હિન્દ ન્યુઝ, મહીસાગર      ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિસાગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અંતર્ગત લુણાવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી સુરેશભાઈ પરમાર તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજર અરવિંદ કુમાર આર. સેલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, નવસારી     કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.  આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા,…

Read More

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના વિવિધ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી      આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના રોડ – રસ્તા, ઓરડા અને ગ્રામ પંચાયત ભવન બાંધકામના રૂ. ૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.                   આદિજાતી મંત્રીએ વિવિધ ગામોમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, માર્ગો, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાઓ જેવા આધારભૂત માળખાં ગામના સર્વાંગી વિકાસની મૂળભૂત કડી છે. સુવ્યવસ્થિત માર્ગવ્યવસ્થા થકી લોકોની આવનજાવન સરળ બનશે તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચ વધુ…

Read More

 ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ રોટલા બનાવવાની પ્રવૃત્તિથી જીવન કૌશલ્યો નો અનુભવ મેળવ્યો

ધ્રોલ નાં ‘ધ સનરાઈઝ પ્રાઈમરી સ્કૂલ’ ખાતે આનંદદાયક શનિવાર ની અનોખી ઉજવણી હિન્દ ન્યુઝ, ધ્રોલ       આજરોજ તારીખ 31/ 01/2026 ને શનિવાર નાં રોજ આનંદદાયક શનિવાર સંદર્ભે વિધાર્થીઓ ને શાળામાં ‘બેગલેસ ડે’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ‘ધ સનરાઈઝ સ્કુલ’ નાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને ઉપયોગી જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન વિદ્યાર્થીનીઓએ રોટલા બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે પ્રાયોગિક રીતે જાણકારી આપવામાં આવી હતી. દા.ત. વિદ્યાર્થીનીઓને લોટમાં પાણી કેટલું નાખવું, રોટલો કેમ ટીપવો તેમજ રોટલો શેકવાની પ્રક્રિયા ખૂબ જ ઉત્સાહ અને…

Read More