હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વર્ષે આગામી તા.5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી, 2026 સુધી આયોજિત થનાર ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ તરીકે પ્રસિદ્ધ થયેલ આ શોપિંગ ફેસ્ટિવલમાં વિવિધ થીમ સાથેના બજારો ઉભા કરીને વધુ વ્યાપક બનાવવાના આયોજન બાબતે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ વધુ સંગીન સુવિધાઓ સાથે બહોળા પ્રમાણમાં લોકોને આકર્ષે અને એક જ સ્થળેથી વિવિધ ચીજવસ્તુઓ ‘અન્ડર વન અમ્બ્રેલા’ મળી રહે તેવા…
Read MoreDay: September 30, 2025
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા યુવાનોને નશામુક્ત કરવા માટે ‘યુવા સમીટ’ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરાવવા માટે ‘યુવા સમીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના વિવિધ સ્થળોએ ‘વિકસિત ભારત માટે નશામુકત યુવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા અને હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશભાઇ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારત દેશના યુવાનોને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાનો અને નવી પેઢી આ દૂષણથી મુક્ત રહે એ માટે સામૂહિક પ્રયાસ કરવાનો છે. …
Read Moreજૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તેમજ જિલ્લાના જીઆઇડીસી-ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો મુખ્યમંત્રીની વિડિયો કોન્ફરન્સમાં જોડાયા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લામાં ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે જીએસટીમાં ઘટાડો અને સ્વદેશી અભ્યાન તેમજ વોકલ ટુ લોકલ મુદ્દે વિડીયો માધ્યમથી સંવાદ કર્યો જેમાં આજે જુનાગઢ જિલ્લાના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા. દેશમાં બનતી ચીજ વસ્તુઓ- ઉત્પાદનો એ આપણા દેશનું ગૌરવ છે. સ્થાનિક વેપારીઓ ઉદ્યોગકારો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આત્મનિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારત નો મંત્ર સાકાર કરી ગુજરાત સરકાર…
Read Moreધુંવાવ ખાતે નવનિર્મિત બ્રિજનું રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર અને રાજકોટને જોડતા અગત્યના માર્ગ પર વાહનવ્યવહારને વધુ સરળ અને સલામત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુંવાવ ખાતે નવનિર્મિત બ્રિજનું રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે માળખાગત સુવિધાઓને ટોચની પ્રાથમિકતા આપી છે. આ નવનિર્મિત બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી, પરંતુ જામનગર અને આસપાસના વિસ્તારના લોકો માટે સમયની બચતની સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનું માધ્યમ બનશે.આ અત્યાધુનિક રિવર બ્રિજનું નિર્માણ જામનગર રૂ.૪.૩૩ કરોડના ખર્ચે કરવામાં આવ્યું…
Read Moreમોરબીમાં પોષણ ઉત્સવ – ૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી મોરબીમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ – ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે હંસાબેન પારેઘીએ આઈ.સી.ડી.એસ અને આરોગ્યલક્ષી સેવાઓ દરેક છેવાડાના વ્યક્તિ તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું. આજના સમયે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ખાંડ અને મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા તથા જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં મોરબી જિલ્લા વિકાસ…
Read More