હિન્દ ન્યુઝ, દાહોદ આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ ૨૦૨૨ માં ૨૧, ફેબ્રુઆરીથી કરવામાં આવી હતી, જેનું વર્ષ ૨૦૨૫ ના મેં મહિનાની ૨૬ તારીખના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય બનાવવા પાછળ ૧૬. ૬૫ કરોડનો ખર્ચ થયેલ છે. આ સંગ્રહાલયમાં આદિવાસી લોક જીવનની ઝાંખી જોવા મળે તેવા ભીંત ચિત્રો પણ દીવાલો પર કંડારવામાં આવ્યા છે, જેની કારીગીરી મધ્ય પ્રદેશના રાજુ વિશ્વકર્મા નામના વ્યક્તિએ કરી છે. જે બિરદાવી શકાય એવી છે. આ સંગ્રહાલયમાં આદિવાસીઓની સાંસ્કૃતિને દર્શાવતી સામાજિક, ઐતિહાસિક અને પારંપારિક દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ…
Read More