ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત

હિન્દ ન્યુઝ, ભાવનગર      દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં ભાવનગર પોલીસ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ ને જુદા જુદા પાંચ સેક્ટરમાં વિભાજિત કરી ત્રિ-સ્તરીય બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં પાંચ હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત છે. આ સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલની નિગરાની હેઠળ ૧૪ એ.એસ.પી, ડી.વાઇ.એસ.પી., ૪૪ પી.આઇ., ૧૧૨ પી.એસ.આઇ., ૧૯૧૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧૫૧૫ હોમગાર્ડ, બી.ડી.એસ. ૩ ટીમ, ૩૦ માઉન્ટેડ પોલીસ,…

Read More

ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા

તુ જ છે પ્રચંડ શક્તિ, તુ જ છે દુર્ગા ને ચંડી હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા અખાડાના કરતબો અને ખેલ રજૂ કરવામાં આવી રહ્યા છે.  જેમાં બહેનો દ્વારા તલવારબાજી, પટ્ટાબાજી, ટાઈગર જંપ, ચક્ર ફેરવવું, લાકડી ફેરવવી સહિતની કલાઓ દ્વારા નારી શક્તિને રજૂ કરી રહી છે. સમગ્ર રૂટ પર બહેનો દ્વારા ખાસ અખાડાના દાવો – કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે.

Read More

ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા

ગોકુલ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનાં રથનાં દોરડાને હાથ વડે ખેંચી નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી.ના સમગ્ર રૂટ પર નગરચર્યા કરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિએ લીધેલી છે. ભોઈ સમાજ શરૂઆતથી જ રથયાત્રા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભોઈ સમાજનાં નાનાથી લઈને મોટા સુધીના ૩૦૦ લોકો ભગવાનનાં રથને ખેંચવાની સેવામાં જોડાયા છે. વ્યવસ્થા જાળવવા માટે ભોઈ સમાજનાં કુલ ૩૦૦ લોકોનાં સભ્યો રથ ચલાવવાની…

Read More

પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રથયાત્રાનાં રૂટ પરના જુદા જુદા દસ સર્કલો પર હેલ્પડેસ્ક ઊભા કરાયા

દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે હિન્દ ન્યુઝ, ભાવનગર       ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રાનાં ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેને ધ્યાને લઈ ભાવનગર પોલીસ વિભાગ દ્વારા રથયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે ખાસ ૧૦ જેટલાં સર્કલો ઉપર હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.  જેમાં ભાવનગર શહેરના મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, શિવાજી સર્કલ, સંસ્કાર મંડળ, નીલમબાગ સર્કલ, જશોનાથ સર્કલ, ઘોઘા ગેટ અને હલુરીયા ચોકમાં ભાવનગર પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે હેલ્પ ડેસ્ક ઉભા કરાયા છે. જેમાં પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે.

Read More

દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર        દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રાનું આજે વહેલી સવારે ૮:oo કલાકે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસત્રોક્ત વિધિ બાદ કેન્દ્રિય રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર ભરતભાઇ બારડ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં રથનું પ્રસ્થાન કરાવાયું હતુ.  કેન્દ્રીય રાજ્ય‌મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાત રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન ભાવનગર જિલ્લામાં થઇ રહ્યું છે ત્યારે જગન્નાથજી ભગવાન, બલરામજી અને…

Read More

શ્રાવણ 2025માં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા નોંધાવી મેળવશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મ  

હિન્દ ન્યુઝ, સોમનાથ      શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદાની બિલ્વ પૂજાનો લાભ મળે તે માટે “જન જનના સોમનાથ” ના ધ્યેય વાક્યને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત નોંધાવી શકે તેવી સરળ પૂજા સ્વરૂપે છેલ્લા બે વર્ષથી 25₹ બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે. વિશેષ શ્રાવણ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ 2025 માટે ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા પ્રારંભ કરવામાં આવી હતી.…

Read More

તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં યોજાઈ રહેલ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકા ની પે સેન્ટર શાળા, ખાખસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ નિયામક શ્રી, IEDSS RMSA પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગાંધીનગર અર્ચનાબેન એમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, તેમણે શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને, ખાસ કરીને કન્યાઓને, શાળામાં પ્રવેશ અપાવવા પર ભાર મૂકયો હતો. પેટલાદના ડૉ. રીતેશભાઈ ચૌહાણએ શાળાની ભૌતિક સુવિધામાં મદદરૂપ થવા માટે ૨૫૦૦૦ /- નું માતબર દાન તથા…

Read More

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે : આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદની ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી સહિત મહાનુભાવોના વરદહસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઈરમાના સંસ્થાપક ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાન અને સહકારના વિઝનને યાદ કરતાં જણાવ્યું હતુ કે, આ મહાનુભાવોનો ધ્યેય ગ્રામીણ ખેડૂતો અને ગામડાંના લોકોને શહેરી સુખ-સુવિધાઓ અને વિકાસના માર્ગે આગળ લાવવાનો હતો,…

Read More

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા

‘આ તો વ્હાલપનું છે, વ્હાલ ..’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા અને ઋજુતા જોવા મળી હતી. જેમાં મંત્રીએ વિદ્યાર્થીઓ પ્રત્યે વ્હાલપ વરસાવી હતી પ્રવેશોત્સવના અંતિમ દિવસે મંત્રીએ ગીરગઢડા તાલુકાના ફરેડાની પી.એમ.શ્રી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે એક જ પાટલી પર બેસી સંવાદ કર્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ‘સાદ કરે છે…. દિલ હરે છે….’ કાવ્ય યાદ કરી વિદ્યાર્થીઓ સાથે કઈ…

Read More

“શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫: ત્રીજો દિવસ”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના અંતિમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ફરેડા અને ગીરગઢડાની શાળાઓમાં બાળકોને હર્ષોલ્લાસથી શાળાપ્રવેશ કરાવ્યો હતો. મંત્રીના હસ્તે ફરેડા પ્રાથમિક શાળા અને ગીરગઢડા ખાતે અભિનવ વિદ્યામંદિરમાં આંગણવાડી અને બાલવાટીકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. તો, ધો.૧ અને ધો.૯માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.  મંત્રીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ નવા સોપાનો સર કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ…

Read More