હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૧/૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ગાઢવીમાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર કોટબામાં એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા એનક્યુએએસ એસસેસમેન્ટ કરાયું હતું. જેમાં ૯૩.૧૯% સ્કોર સાથે કોટબા આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ (National quality assurance standards, NQAS) એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કુલ ૪ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં કોશમકુવા વલસાડ ૯૨.૫૮%…
Read MoreMonth: February 2025
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
નર્મદા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દેડિયાપાડા કોલેજના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે તા. 3/02/2025ને સોમવારના રોજ “આદિવાસી : સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના કુલપતિ ડૉ. મધુકર પાડવી દ્વારા વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે પ્રખર સંપાદક-સંશોધક અને સર્જક એવા ડૉ. ભગવાનદાસ પટેલે “આદિવાસી…
Read MoreCPR શું છે, CPR ક્યારે આપવું અને ક્યારે ન આપવું જોઇએ. આ જીવન-બચાવ કૌશલ્ય વિશે જાણકારી મેળવીએ
હિન્દ ન્યુઝ, ભાવનગર CPR શું છે? CPR એટલે કાર્ડિયો-પલ્મોનરી રિસસાઇટેશન. જેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેવા વ્યક્તિના મગજમાં અસ્થાયી રૂપે ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ કરવા માટે તે એક કટોકટીની સારવાર છે.સીપીઆર હાર્ટ એટેક અથવા ડૂબવાના કેસમાં જીવન બચાવનાર સાબિત થાય છે, જ્યાં પીડિતોના ધબકારા બંધ થઈ ગયા હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય. જ્યારે કોઈનું જીવન જોખમમાં હોય ત્યારે નિપુણતા જરૂરી નથી મૂળભૂત જ્ઞાન પૂરતું છે. કોઈને મદદ કરવા માટે, આ CPR માર્ગદર્શિકા અનુસરો: જો વ્યક્તિ શ્વાસ ન લઈ રહ્યો હોય, તો સૌ પ્રથમ…
Read Moreભાવનગર જિલ્લાના પત્રકારો માટે સીપીઆર તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પત્રકારો માટે COLS ( Compression Only Life Support ) અર્થાત સી. પી. આર. આપવાની પદ્ધતિ અંગેની તાલીમનું સરકારી નર્સિંગ કોલેજ ઓડિટોરિયમ, સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ચિન્મય શાહ એ જણાવ્યું હતું કે સી.પી.આર. આપવાની પધ્ધતિથી પત્રકારોએ વાકેફ હોય તો કટોકટીની પરિસ્થિતિ અથવા અકસ્માત જેવા સંજોગોમાં પત્રકારો ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચતા હોઈ આવી પરિસ્થિતિમાં સીપીઆર તાલીમ જીવન રક્ષક સાબિત થઈ શકે છે. આ તાલીમમાં ડો. લોપા ત્રિવેદી દ્વારા સી. પી. આર.…
Read Moreશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ અને પ્રભારી કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલના માર્ગદર્શનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આજે તા. ૦૫/૦૨/૨૦૨૫ના સવારે ૧૧:૦૦ વાગ્યે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સાયબર ક્રાઇમ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્યામભાઈ રાજપુત, હેડ કોન્સ્ટેબલ તબસ્સુમબેન રાણીકા, કોન્સ્ટેબલ જ્યોતિબેન વાજા તેમજ કોન્સ્ટેબલ મોહિતભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા…
Read Moreકેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત
હિન ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા વાવડી(આદ્રી)ને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર…
Read Moreજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગેની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સૂનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યૂ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવાં વિસ્તારોનો સર્વે કરવાં જણાવ્યું હતું. કલેકટરએ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા, ગટરની સાફ-સફાઇ સમયસર થઇ જાય તેમજ ખાસ કિસ્સામાં કે, ગોવિંદપરા અને ઉમરેઠી રોડ ઉપર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા અંગે તથા જર્જરીત પુલો,…
Read Moreઆગામી તા.૬ના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીએ બપોર સુધી ખીજડીયા પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યમા તારીખ ૦૬-૦૨-૨૦૨૫ ના બપોર બાદ અને તારીખ ૦૭-૦૨-૨૦૨૫ના બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી પક્ષી ગણતરીનુ આયોજન કરેલ હોવાથી ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય તા.૬ ફેબ્રુઆરીના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreનગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લગતા ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીના મતદાનના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા…
Read Moreજામનગર જિલ્લામાં ચૂંટણી ફરજ માટે ઝોનલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેની સત્તાઓ સોંપવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪- જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ (એક) ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે…
Read More