ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા તેરમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, પાલનપુર પાલનપુર ના કુંભાસણ ગામે ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ નું આયોજન નીલકમલ ફાર્મ હાઉસ પર કુંભાસણ ગઢ રોડ પર કરાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પ્રમુખ મહિલા મોરચો અંબાજી મંજુલાબેન ભાટી, પૂર્વ પ્રમુખ ધાન્ધાર, જૂથ નાયી સમાજ પ્રદીપભાઈ વૈદ્ય, મામલતદાર ગરબાડા (દાહોદ) અનિલ ભાઈ જાદવ. ટી. ડી. ઓ. સરસ્વતી તાલુકો ચંપકભાઈ લિંબાચિયા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ માં કુલ-૨૬ નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને આવનાર સમાજ ના ભાઈઓ બહેનો ના નવદંપતી એ આર્શીવાદ લીધા હતા. સમાજ માં…

Read More

‘ઝીલ વેલનેસ’ તમારા સ્વાસ્થ્ય અને આહાર માટે હમેશા તૈયાર છે

હિન્દ ન્યુઝ, ભાવનગર જેમ જેમ ઠંડી વધે છે, એમ શરીર ને સહન કરવાની તક ભી વધે છે (જેને રોગપ્રતિકારક શક્તિ કેહવાઈ છે). આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારવુ આપણા હાથ માં છે – વધારે માં વધારે લીલો, પીળો અને લાલ રંગના ફળો અને શાકભાજીનો આહાર મા લય શકાય , વિટામિન સી સમૃદ્ધ ખોરાકમાં કરો, આદુ અને હળદર નાખેલુ ગરમ પાણી ભી ઘણું અક્સીર છે. ડાયટ મા થોડી ચીઝો એવી હોય છે જે ઠંડી ની સીઝન મા ખવાય અને જેના થી શરીર મા ગરમાવો આવે. એહવી 3 ચીઝો આજ ચર્ચા કરશુ –…

Read More

મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સારી પાણીની આવક થતા સંપૂર્ણ ભરાયો હતો પરંતુ નવ જિલ્લાને પાણી પહોચાડતા આ ડેમમાંથી આવનાર સમયમાં કેટલું પાણી પહોંચાડી શકાશે

હિન્દ ન્યુઝ, મહિસાગર સમગ્ર ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ થયો છે ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સારી પાણીની આવક થતા સંપૂર્ણ ભરાયો હતો પરંતુ નવ જિલ્લાને પાણી પહોચાડતા આ ડેમમાંથી આવનાર સમયમાં કેટલું પાણી પહોંચાડી શકાશે, કેટલો જથ્થો હયાત છે એ તમામ જાણવાની કોશિશ કરીશું. મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમ આ વર્ષે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો મહીસાગર ઉપરાંત ખેડા, આણંદ, સાબરકાંઠા અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આમ નવ જિલ્લાના જીવાદોરી સમાન એવા આ કડાણા ડેમમાં આ ચોમાસામાં સારા વરસાદથી પાણીની…

Read More

પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી

હિન્દ ન્યુઝ, મહિસાગર પોતાના આધ્યાત્મિક, સામાજિક સંદેશાઓ દ્વારા સમાજમાં પ્રવર્તતી અનિષ્ટોને દૂર કરી સમરસતાના આદર્શોનું સ્થાપન કરનાર મહાન સમાજ સુધારક, પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂનમ ના પવિત્ર પર્વ નિમિતે હિન્દૂ યુવા વાહીની મધ્ય ગુજરાત ધર્માંધ્યક્ષ, મહિસાગર તીર્થધામ ના મહંતશ્રી અરવિંદગિરિજી મહારાજ ના આશીર્વાદ થી મહીસાગર માતા ની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હિન્દૂ યુવા વાહીની મહીસાગર જિલ્લા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજવા માં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રચારક હર્ષુ…

Read More

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રકમ રૂ.૭૧૫.૪૮ લાખના ૨૨૨ વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારીના કામો પૈકી પીવાના પાણી, રસ્તા, ગટર, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય જેવી સુવિધાઓને લગતા અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજુર કરવા અનુરોધ કર્યો હતો. આ જિલ્લા…

Read More

ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ – ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર “બાયોટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે-બાયોટેક્નોલોજી પોલિસી-ર૦રર-ર૭” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી બાયોટેક્નોલોજી પોલિસીની વિશેષતાઓ-વિશિષ્ટ જોગવાઇઓ • સમગ્ર દેશમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્યોમાં સ્થાન પ્રાપ્ત કરશે • બાયો પ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે • રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના • ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી દેશની આત્મનિર્ભરતામાં ફાળો આપનાર સ્પેશ્યલ પ્રોજેક્ટસને રૂ. ૨૦૦ કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના ૨૫% સુધીની સહાય અને વધુમાં વધુ…

Read More

આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ         ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. જે ધ્યાને લઇ જીલ્લાના તમામ ખેડુતોને તેઓની જરૂરીયાતના ધટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત…

Read More

શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો

હિન્દ ન્યુઝ, ગુજરાત Ø અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે Ø જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી Ø ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે Ø જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ…

Read More

વૈશ્વિક મહામારી કોરોના બાદ તા. ૧૭-૨-૨૨થી પુન:આંગણવાડી શરૂ

હિન્દ ન્યુઝ, ભુજ             વૈશ્વિક મહામારી કોરોના બાદ તા. ૧૭-૨-૨૨થી પુન:આંગણવાડી શરૂ થતાં કચ્છની વર્કર બહેનની લાગણી હૃદયના ઉદ્દગારમાં વ્યક્ત થઇ છે. આજરોજ અચાનક જ બે વર્ષ થી બંધ પડેલા બાલમંદિર રૂપી મંદિરોના દ્વાર બાળકો માટે ખુલ્યા.. નો અદભૂત આનંદ શબ્દોમાં ના વર્ણવી શકાય.. કારણ એ અમારા મંદિરોના ભગવાન રૂપી બાળકો.. વિનાના સુના મંદિરો આજે કલરવથી ગુંજી ઉઠશે…. ચારેબાજુ થી માતાઓના આનંદ નો પાર ન રહ્યો….બાળકો સાથે મસ્તી કરવાનો મારો સમય મને પાછો મળ્યો છે ત્યારે અનેક સવાલો મારા મનમાં ઉભા થયા છે!!!!…કાલે સવારે બાળકો…

Read More

કચ્છમાં કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ૨૧૧૬ આંગણવાડીઓ પુન:શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ                  ભારતમાં નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ ટાળવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ-૨૦૨૦ થી લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતું. જે અંતર્ગત રાજયના આંગણવાડી કેન્દ્રો તા. ૧૬ માર્ચ ૨૦૨૦ થી બંધ કરવા નિર્ણય લેવામાં આવેલ હાલમાં પ્રાથમિક શાળાઓનું શિક્ષણ શરૂ થયેલ હોઈ તથા નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતી જોતા હવે પછીથી જરૂરી સાવચેતીના પગલા સાથે આંગણવાડી કેન્દ્રો ખોલી શકાય તેવો નિર્ણય કરવામાં આવેલ છે . આથી તા. ૧૭/૦૨/૨૦૨૨ થી આંગણવાડી કેન્દ્રો નિયમિત ધોરણે શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે. આઈ.સી.ડી.એસ.ની તમામ પ્રવૃતિઓ સાથે…

Read More