મહિસાગર જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર મહીં કાંઠા વિસ્તાર ના ગામ ના ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવ્યો જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જીલ્લા માં પ્રથમવાર સમૂહ લગ્ન નું આયોજન રાજ્ય ના અનેક ક્ષત્રિય સમાજ ના આગેવાનો એ હાજરી આપી મંત્રી કુબેરભાઈ ડીંડોર સાંસદ રતનસિંહ રાઠોડ, ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક, ધવલ ઝાલા, અજીતસિંહ ચૌહાણ, કાળુભાઇ માલીવાડ સહિત ના આગેવાનો એ હાજરી આપી રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર

Read More

જૂનાગઢમાં વિશ્વવિખ્યાત મહાશિવરાત્રીનાં મેળાની તડામાર તૈયારીઓ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વવિખ્યાત શિવરાત્રી મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે વિશ્વવિખ્યાત શિવરાત્રીનો મેળો યોજાતો ન હતો પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં ૧૩૨, જંગલમાં ૩૬ ઉતારા અને ૪૯ પ્લોટ ફાળવાયા છે. અલગ અલગ ઉતારા મંડળો દ્વારા પોતાના અન્નક્ષેત્ર પૂર્વ તૈયારીઓ ચાલુ કરી દીધી છે સાથે સાથે તંત્ર પણ કામે લાગી ગયું છે. ભવનાથ ક્ષેત્રના રોડ રસ્તા, લાઈટ, પાણી વગેરેની તૈયારીઓ પણ થવા લાગી છે. મહાવદ નોમ ના…

Read More

22 ફેબ્રુઆરી બ્રહ્મલીન કાશ્મીરી બાપુનો ભંડારો હોય તેને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માર્ગદર્શિકા માટે ઝંડી લગાડવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢના ભવનાથ સ્થિત આમકુ આશ્રમના મહંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમનો ષોsશી ભંડારો તેમજ મહંતાઈની ચાદર વિધિ હોય તેને અનુસંધાને હજારો ભકતો ઉમટવાના હોય તેના અનુસંધાને માર્ગદર્શન માટે ભવનાથ લંબે હનુમાન થી કાશ્મીરી બાપુ ના આશ્રમ સુધી જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ ટીમ અને બજરંગ દળ ની ટીમ દ્વારા ઝંડી લગાડવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી ઝંડી લગાવવાનું કામ ચાલુ હતું. રોજ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવતું હતું. જેમાં ગઈકાલે મોડી રાત સુધી કાર્યકર્તાઓ એ ઝંડી લગાડી જેમાં હિરેનભાઈ રૂપારેલિયા, જયેશભાઇ…

Read More

ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લા ની મુલાકાતે, રાધનપુર બાદ પાટણ રાણકી વાવ ની લેવાશે મુલાકાત

હિન્દ ન્યુઝ, રાધનપુર ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે થી જ રાધનપુર આવી પહોંચ્યા હતા, રાધનપુર ની મુલાકાત આવેલ મુખ્યમંત્રી નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે ૭૧ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ ફિલ્ડરેશન પ્લાન ની મુલાકાત અર્થે આવતા ભાજપ ના કાર્યકર્તાઓ, કર્મચારીઓ પોલીસ સ્ટાફ, મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિપેડ ઉતરી ફિલ્ટરેશન પ્લાન બાદ શાંતિધામ ની મુલકાત લીધી હતી અને ત્યારબાદ રાધનપુર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. રાધનપુર બાદ પાટણ રાણકી વાવ ની મુલાકાત લેશે આમ, પાટણ જિલ્લાના તમામ ભાજપ ના નેતાઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.…

Read More

ભાવનગરની એવી શાળા કે જ્યાં કોરોના કાળમાં પણ શિક્ષણ અટક્યું નથી

હિન્દ ન્યૂઝ, ભાવનગર આવતીકાલથી સમગ્ર રાજ્યમાં શાળાકીય શિક્ષણ ‘ઓફ લાઇન’ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજે આપણે એક એવી શાળાની વાત કરવી છે કે, જે કોરોના કાળ વખતે પણ ચાલતી રહી હતી અને તે દ્વારા શિક્ષણની જ્યોત નિરંતર પ્રજ્વલિત રાખી છે. આ શાળા કોઈ હાઈ-ફાઈ શાળા નથી. પરંતુ જેની પાસે શાળાએ જવા દફતર નથી. શાળાની ફી ભરવાના પૈસા નથી તેવાં ગરીબ અને છેવાડાના બાળકોને રોડ પર શિક્ષણ આપતી અનોખી શાળા છે. ભાવનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં રોડ પર ચાલતી આ શાળા માત્ર શિક્ષણ જ નથી આપતી પરંતુ તે સાથે સંસ્કાર અને…

Read More

મહિલા અને બાળકલ્યાણ વિભાગની યોજનાકીય માહિતી પૂરી પાડતો શકિત મેળાનો આઈ.સી.ડી.એસ. સ્ટોલ

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા મહિલા ઉત્કર્ષ, સ્વાવલંબન અને રોજગારીને લગતાં શકિત મેળાનું આયોજન રાજકોટમાં તા. ૧૦/૨/૨૦૨૨ થી તા. ૨૬/૨/૨૦૨૨ સુધી રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. વિભાગનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. રાજય સરકારનાં આ વિભાગની કામગીરી અન્વયે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનાં, સગર્ભાઓને તેમજ નવજાત બાળકોને મળવા પાત્ર તમામ લાભો વગેરે અંગે માહિતી પુરી પાડવામાં આવી રહી છે. તદઉપરાંત બાળકોને આંગણવાડીમાં પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. જે બાળાઓ આંગણવાડીમાં અભ્યાસ કરતી ન હોય…

Read More

રાજકોટ જિલ્લામાં સમયસર કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટ એજન્સીઓને બ્લેકલિસ્ટમાં મુકવાની દરખાસ્ત કરવા કલેકટરની સુચના

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં માર્ગ-મકાન , સિંચાઈ, પંચાયત, પાણી, આરોગ્ય, જનસેવા સહિતના માળખાગત કામોના કોન્ટ્રાક્ટ અપાયા પછી જેટલી એજન્સી કામો પૂર્ણ કરતી નથી તેમજ ગેરેન્ટી પિરિયડમાં છે, તે કામો કર્યા નથી એવી એજન્સીઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ નોટિસ આપીને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટમાં મુકવા અંગે જરૂરી દરખાસ્તો કરવા કલેકટર અરુણ મહેશ બાબુએ ફરિયાદ-સહ-સંકલન મિટિંગમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ અર્થે માર્ગદર્શન આપતા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જેને ત્રણ નોટિસ અપાઇ ગઇ છે એવી એજન્સીઓને બ્લેક લિસ્ટ…

Read More

છેવાડાના માનવીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે : પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા

હિન્દ ન્યુઝ, રાજકોટ પડધરીમાં રૂ. ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે થયું હતુ. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે ગામડાના લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પંચાયત વિભાગના નેજા હેઠળ તરીકે ગામડાના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રાજયસરકાર પ્રયત્નશીલ છે. પ્રજાને પાણી, વીજળી. આવાસ, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે. મહાનુભાવોએ ભૂમિ પૂજન વિધિ કર્યા બાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું…

Read More

જૂનાગઢના વિવિધ ગામોમાં લીડ બેન્ક, નાબાર્ડ, આરસેટી સહિત વિવિધ બેન્કો દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા તા.૧૪ થી ૧૮ ફેબ્રુઆરી સુધી નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. આ સપ્તાહ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ નાણાકીય સાક્ષરતા અંતર્ગત GO DIGITAL GO SECUREનો મેસેજ આપવા માટે લીડ બેન્ક, નાબાર્ડ, આરસેટી અને જૂદી જૂદી બેન્કો દ્વારા જૂદા જૂદા સ્થળે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ભેંસાણ એસ.બી.આઈ છોડવડી તથા તા.૧૫ ફેબ્રુઆરીના રોજ એસ.બી.આઈ અજાબ તેમજ બેન્ક ઑફ બરોડા કેશોદ, એસ.બી.આઈ મેંદરડા તથા નાણાકીય સાક્ષરતા કેન્દ્ર મેંદરડા દ્વારા દાત્રાણા ખાતે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક દ્વારા સમઢિયાળા, મેંદરડા તથા એસ.બી.આઈ આલીધ્રા…

Read More

પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર કેશોદ ખાતે યોજાઇ હતી. જેમાં ખેડૂતોને પશુપાલન વ્યવસાયને લગતી અદ્યતન માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી દેવાભાઈ માલમ જણાવ્યું હતું કે હાલમાં ખેતી સાથે પશુપાલન વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકસી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ, નીતિઓ કાર્યરત કરીને પશુપાલનને આધુનિક બનાવવા તેમજ પશુપાલકોની આવક વધારવા માટે પ્રયાસો કરવામાં આવે છે. મંત્રી દેવાભાઈએ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓનો લાભ લેવા, વૈજ્ઞાનિક પદ્ધતિનો પશુપાલનમાં અમલ કરવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો.…

Read More