22 ફેબ્રુઆરી બ્રહ્મલીન કાશ્મીરી બાપુનો ભંડારો હોય તેને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માર્ગદર્શિકા માટે ઝંડી લગાડવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢના ભવનાથ સ્થિત આમકુ આશ્રમના મહંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમનો ષોsશી ભંડારો તેમજ મહંતાઈની ચાદર વિધિ હોય તેને અનુસંધાને હજારો ભકતો ઉમટવાના હોય તેના અનુસંધાને માર્ગદર્શન માટે ભવનાથ લંબે હનુમાન થી કાશ્મીરી બાપુ ના આશ્રમ સુધી જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ ટીમ અને બજરંગ દળ ની ટીમ દ્વારા ઝંડી લગાડવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી ઝંડી લગાવવાનું કામ ચાલુ હતું. રોજ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવતું હતું. જેમાં ગઈકાલે મોડી રાત સુધી કાર્યકર્તાઓ એ ઝંડી લગાડી જેમાં હિરેનભાઈ રૂપારેલિયા, જયેશભાઇ ખેસવાની, પરાગભાઇ તન્ના, આનંદભાઈ સાકરીયા, ભાવેશભાઈ જેઠવા, રાજુભાઈ સોનપાલ, હાર્દિકભાઈ મણિયાર, જશભાઈ મેવાચા, રાહુલભાઈ ઓડેદરા તેમજ વોર્ડ નંબર 2 ના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ કુલ મળી ને કાર્યકર્તાઓએ પૂજ્ય કાશ્મીરી બાપુ ના આશ્રમ સુધી ઝંડીઓ લગાડી હતી. 1500થી વધુ ઝંડીઓ લગાડવાનું કાર્ય પૂર્ણ કરેલ હતું તેમ જૂનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવેલ.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

 

.

Related posts

Leave a Comment