- માંગરોળ તાલુકાના કરમદી ચીંગરીયા ગામે કલેકટર દવારા માંગરોળ નગર પાલીકાને ધન કચરો ઠાલવવા માટે સરકારી જમીન ફાળવતાં પાંચ ગામના લોકોએ તેની સામે વીવાદ કરાયો છે જેમાં આજે કલેકટરને રજુઆત કરતાં કલેકટર દવારા તપાસ ના આદેશ થતાં આજે નાયબ કલેકટર કેશોદ દવારા આ સ્થળની મુલાકાત લીધી હતી
જયારે પાંચ ગામના લોકો મહીલા ઓ સહીત મૌખીક રજુઆતો કરી હતી
જયારે ખાસ વાત કરવામાં આવે તો જયાં આ ધનકચરો ઠાલવવામાં આવે છે જેની બાજુમાંજ બે તળાવો આવેલા છે તે તળાવનુપાણી પણ દુષિત થવાની સંભાવના છે જયારે જો વાત કરવામાં આવે તો અહીથી ૩૦૦ મીટર નર્મદા જળ સંપ આવેલો છે અને આ સંપમાંથી ૪૨ ગામોને પીવાનું પાણી અપાઇ રહયું છે અને આ જગ્ય ચાર ગામોની વચ્ચેની જગ્યા હોય જેથી ચાર ગામોમાં આરોગ્ય ઉપર ખતરો જોખમાઇ તે પહેલાં આ જગ્યા ધન કચરા માટે રદ કરવાની લોકોએ માંગ કરી છે
રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ