શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબના 85’માં જન્મદિને સોમનાથ મહાદેવની મહાપૂજા, આયુષ્ય જાપ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ

    શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર ના 85 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી સોમનાથ મહાદેવને ટ્રસ્ટી જે. ડી પરમાર ના પ્રતિનિધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા સંકલ્પ કરીને મહાપૂજા સામગ્રી અર્પણ કરી હતી. જે મંદિરના પૂજારીઓ દ્વારા મહાપુજા માં મહાદેવને અર્પણ કરાયેલ.

શ્રી સોમનાથ મંદિરના સ્થાનિક તીર્થ પુરોહિતઓ દ્વારા ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમારના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિશેષ અવસરે શ્રી સોમનાથ મહાદેવને સાયમ શૃંગાર સમયે વિશેષ દીપમાળા પણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment